________________
અધસ્તન મધ્યમ ત્રૈવેયકમાં જધન્ય ૨૩ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૪ હજાર વર્ષમાં, અધસ્તન ઉપરિતન ત્રૈવેયકમાં જઘન્ય ૨૪ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૫ હજાર વર્ષમાં, મધ્યમ અસ્તન ત્રૈવેયકમાં જધન્ય ૨૫ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૬ હજાર વર્ષમાં, મધ્યમ, મધ્યમ ત્રૈવેયકમાં જધન્ય ૨૬ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૭ હજાર વર્ષમાં, મધ્યમ, ઉપરિતન ત્રૈવેયકમાં જઘન્ય ૨૭ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૮ હજા૨ વર્ષમાં, ઉપરિતન, અધસ્તન ત્રૈવેયકમાં જઘન્ય ૨૮ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૯ હજાર વર્ષમાં, ઉપરિતન મધ્યમ ત્રૈવેયકમાં જઘન્ય ૨૯ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૩૦ હજાર વર્ષમાં, ઉપરિતન ઉપરિતન ત્રૈવેયકમાં જઘન્ય ૩૦ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૩૧ હજાર વર્ષમાં. વિજયાદિ ૪ દેવમાં જઘન્ય ૩૧ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૩૩ હજાર વર્ષમાં, સર્વાર્થસિદ્ધ દેવમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી ૩૩ હજા૨ વર્ષમાં આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
રોમોદ્વારા કરાતો આહાર લોમાહાર કહેવાય છે. મુખ દ્વારા જે આહાર કરાય તે પ્રક્ષેપાહાર છે. તેને કવલાહાર પણ કહેવાય છે.
પંચેન્દ્રિય તિર્યંચોમાં જે આભોગનિવર્તિત આહાર છે તે ઉત્કૃષ્ટ ષભક્તથી અર્થાત્ બે દિવસ થાય છે. આ કથન દેવકુરુ ઉત્તરકુરુના તિર્યંચ, પંચેન્દ્રિયોની અપેક્ષાએ છે અને મનુષ્યમાં ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત છે તે દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોના મનુષ્યની અપેક્ષાએ સમજવું.
જે દેવોથી જેટલા સાગરોપમની સ્થિતિ છે. તેમને તેટલા જ હજા૨ વર્ષમાં આહારની અભિલાષા થાય છે. એ નિયમ અનુસાર સૌધર્માદિ દેવલકોમાં સમજવું. સર્વાર્થસિદ્ધતિમાનમાં જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ હોતો નથી.
નારકી† જીવ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય શરીરોનો યાવત્ પંચેન્દ્રિય શરીરોનો પણ આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિયમથી પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એ જ પ્રકારે યાવત્ સ્તનિતકુમારો સુધી સમજવું.
પૂર્વભાવ પ્રજ્ઞાપના અર્થાત્ અતીત કાલીન પર્યાયોની પ્રરૂપણાની અપેક્ષાએ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ૨૪ દંડકોમાં નારકીના સમાન છે. વર્તમાન પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિયમથી પૃથ્વીકાયિકો એકેન્દ્રિયોના શરીરોનો આહાર કરે છે.
૪૫૪