SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯મું) પર્યાપ્તિદ્વાર દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ૧૯મા દ્વારમા પર્યાપ્તિ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. પર્યાપ્તિના અર્થો : • પર્યાપ્તિ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. (૧) ગ્રહણ કરેલા આહાર વગેરે પુદ્ગલો પરિણામાવવા માટેની આત્માની જ શક્તિ વિશેષ છે તે પર્યાપ્ત. તે શક્તિ પદ્ગલોનો જથ્થો ભેગો થવાથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે ઉત્પત્તિ સ્થાને આવીને પ્રથમ જે ગ્રહણ કરેલા પુદ્ગલો તેને તથા બીજા પણ દરેક સમયે ગ્રહણ કરાતા પુદ્ગલોનો તેના સંપર્કથી તે રૂપે થયેલાઓની જે શક્તિ છે તે પર્યાપ્તિ કહેવાય છે. ૧ (૨) જે આહાર વગેરેના પુદ્ગલોને ખલ અને રસ વગેરે રૂપ બનાવવાના કારણરૂપ હોય તેને પર્યાપ્તિ કહેવાય છે. (૩) જે પેટમાં રહેલા પુદ્ગલ વિશેષોના આહાર પુદ્ગલોને ... ખલ રસરૂપે પરિણમાવવામાં કારણરૂપ જે શક્તિ વિશેષ છે તેને પર્યાપ્તિ કહેવાય છે. (૪) આહાર શરીરાદિની નિષ્પત્તિને પર્યાપ્તિ કહે છે.૪ (૫) ચારે તરફથી પ્રાપ્તિને પર્યાપ્તિ કહે છે.પ પર્યાપ્તિના ભેદો અને તેઓનું વિવેચન : શાસ્ત્રમાં દર્શાવેલ પ્રર્યાપ્તિને છ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. પર્યાપ્તિના છ પ્રકાર છે : (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છ્વાસ (૫) ભાષા અને (૬) મનઃ પર્યાપ્તિ ૪૩૭
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy