SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) વિભંગ શાન : મિથ્યાત્વના ઉદયમાં જે અવધિજ્ઞાન વિપર્યય થઈ જાય તે વિભંગ જ્ઞાન છે. આ આઠ પ્રકારના જ્ઞાનનો સર્વત્ર સાકાર ઉપયોગ છે. અનાકારોપયોગ - અનાકારોપયોગ ચાર પ્રકારના છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. (૧) ચક્ષુદર્શન - આંખ વડે થતું જે દર્શન. સામાન્યરૂપનું ગ્રહણ કરવું તેને ચક્ષુદર્શન કહેવાય છે. (૨) અચક્ષુદર્શન - આંખ વર્જીને બાકીની ઇન્દ્રિયો અને મન વડે થતું દર્શન અર્થાત્ પોતપોતાના વિષયમાં સામાન્યનું ગ્રહણ કરવું તે અચકું દર્શન કહેવાય છે. (૩) અવધિદર્શન - સામાન્યરૂપ દર્શનને ગ્રહણ કરવું તેને અવધિદર્શન કહે છે. , (૪) કેવલદર્શન - સકલ જગતનું સામાન્ય દર્શન તેને કેવલદર્શન કહેવાય છે. મન:પર્યવ દર્શન હોતું નથી. કેમકે મન:પર્યવજ્ઞાની તથા વિધ ક્ષયોપશમ ને વિશાળતા વડે પ્રથમ અને પછી પણ મનના ભાવ વિશેષપણે જ ગ્રહણ કરે છે. સામાન્યપણું ન હોય માટે મન:પર્યવ દર્શન હોતું નથી. આ રીતે અનાકાર ઉપયોગ ચાર પ્રકારના બતાવેલા છે. આગમમાં અને ટીકા સાહિત્યમાં ઉપયોગ - પ્રજ્ઞાપનના સૂત્રમાં ૨૧મા પદમાં ઉપયોગની ચર્ચા કરેલી છે. નરકગતિમાં સાકારોપયોગ અને અનાકાર ઉપયોગવાળા નારકો હોય છે. સાકારોપયોગમાં - ૩૮૪
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy