________________
(૮) વિભંગ શાન :
મિથ્યાત્વના ઉદયમાં જે અવધિજ્ઞાન વિપર્યય થઈ જાય તે વિભંગ જ્ઞાન છે. આ આઠ પ્રકારના જ્ઞાનનો સર્વત્ર સાકાર ઉપયોગ છે.
અનાકારોપયોગ -
અનાકારોપયોગ ચાર પ્રકારના છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. (૧) ચક્ષુદર્શન -
આંખ વડે થતું જે દર્શન. સામાન્યરૂપનું ગ્રહણ કરવું તેને ચક્ષુદર્શન કહેવાય છે. (૨) અચક્ષુદર્શન -
આંખ વર્જીને બાકીની ઇન્દ્રિયો અને મન વડે થતું દર્શન અર્થાત્ પોતપોતાના વિષયમાં સામાન્યનું ગ્રહણ કરવું તે અચકું દર્શન કહેવાય છે. (૩) અવધિદર્શન -
સામાન્યરૂપ દર્શનને ગ્રહણ કરવું તેને અવધિદર્શન કહે છે. , (૪) કેવલદર્શન -
સકલ જગતનું સામાન્ય દર્શન તેને કેવલદર્શન કહેવાય છે.
મન:પર્યવ દર્શન હોતું નથી. કેમકે મન:પર્યવજ્ઞાની તથા વિધ ક્ષયોપશમ ને વિશાળતા વડે પ્રથમ અને પછી પણ મનના ભાવ વિશેષપણે જ ગ્રહણ કરે છે. સામાન્યપણું ન હોય માટે મન:પર્યવ દર્શન હોતું નથી.
આ રીતે અનાકાર ઉપયોગ ચાર પ્રકારના બતાવેલા છે. આગમમાં અને ટીકા સાહિત્યમાં ઉપયોગ -
પ્રજ્ઞાપનના સૂત્રમાં ૨૧મા પદમાં ઉપયોગની ચર્ચા કરેલી છે. નરકગતિમાં સાકારોપયોગ અને અનાકાર ઉપયોગવાળા નારકો હોય છે. સાકારોપયોગમાં -
૩૮૪