SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા પદમાં ઉપયોગ બે પ્રકારના બતાવ્યા છે. (૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકાર ઉપયોગ. જે જીવને વસ્તુ પરિચ્છેદ માટે પ્રયુક્ત કરે છે. તે ઉપયોગ છે. યુન ધાતુને પવું પ્રત્યય થઈને ઉપ ઉપલય લાગતાં ઉપયોગ પદ સિદ્ધ થયેલ છે. ઉપયોગ જીવનો બોધરૂપ ધર્મ છે. નિયત પદાર્થને અથવા પદાર્થ વિશેષ ધર્મને ગ્રહણ કરવું તે આકાર છે. અને જે સાકાર સહિત હોય તે સાકાર કહેવાય છે. સાકાર ઉપયોગને, વિશેષગ્રાહી જ્ઞાનને સાકારોપયોગ કહે છે. તાત્પર્ય એ છે કે સચેતન અથવા અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાયની સાથે વસ્તુને ગ્રહણ કરે છે ત્યારે તે ઉપયોગ સાકારોપયોગ કહેવાય છે. તેના વિસ્તારથી આઠ પ્રકાર છે. જે ઉપયોગમાં પૂર્વોક્ત આકાર વિદ્યમાન ન હોય તો અનાકારોપયોગ કહેવાય છે. તે વસ્તુના સત્તામાત્રને જ જાણે છે. સાકારોપયોગ વિશેષનો ગ્રાહક છે. એ કારણે તેમાં અધિક સમય લાગે છે. કાલની દૃષ્ટિથી છબસ્થોનો ઉપયોગ અંતર્મુહૂર્ત સુધી રહે અને કેવલીઓનો એક જ સમય રહે છે. ઉપયોગના દરેક પ્રકાર અંગે વિવેચન : સાકારોપયોગ આઠ પ્રકારના કહ્યા છે. (૧) અભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન (૬) મત્યજ્ઞાન (૭) શ્રુતજ્ઞાન અને (૮) વિભંગ જ્ઞાન. (૧) આભિનિબોધિક શાનઃ પાંચ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા કરીને યોગ્ય દિશામાં અવસ્થિત વસ્તુનું જે જ્ઞાન તે આભિનિબોધ છે. આભિનિબોધિક જ્ઞાનનો અર્થ મતિજ્ઞાન છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા એ આભિનિબોધના પર્યાયવાચી શબ્દો છે. (૨) શ્રુતજ્ઞાન : શ્રુતજ્ઞાન એટલે સાંભળવાથી ઉત્પન્ન થતું જ્ઞાન. આ જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને ૩૮૨
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy