________________
ધ્ય છે. આગમ અને ટીકા સાહિત્યમાં યોગનું વિવેચન -
બે નૈરયિકો કે જે પહેલા સમયમાં ઉત્પન્ન થયા છે. તેમાંથી એક તે નારક ક્ષેત્રથી પ્રાપ્તિ વિગ્રહગતિથી કરી હોય અથવા ઋજુગતિથી કરી હોય એવા નૈરયિકો કદાચિત તે બંને સમાન યોગવાળા હોય છે. અને કદાચિત તેઓ વિષમયોગવાળા પણ હોય છે. કારણ કે આહારક નારકથી અનાહારક અને અનાહારક નારથી આહારક નારક કોઈ વાર હીન હોય છે. કોઈ વાર તુલ્ય હોય છે. અને કોઈ વાર અધિક હોય છે. અર્થાત્ આહારક આહાર કરવાવાળા નારક કરતાં અનાહારક આહાર નહીં કરવાવાળા જઘન્ય યોગવાળા એટલા માટે હોય છે કે જે નારકો વિગ્રહભાવથી ઋજુગતિથી આવીને આહારકપણાથી ઉત્પન્ન થાય છે. તે નિરંતર આહારક આહાર કરવાવાળા હોવાના કારણથી પુદ્ગલોથી ઉપચિત-વધેલા પુષ્ટ હોય છે. તેથી એ આહારક નારક અધિક યોગવાળા હોય છે. અને જે વિગ્રહગતિથી અનાહારક થઈને ઉત્પન્ન થયા છે. તે હીન યોગવાળા હોય છે. કેમકે તે પુદ્ગલોથી ઉપચિત-વધેલા હોતા નથી. અને એ જ કારણથી હીન યોગવાળા હોવાથી તે વિષમ યોગવાળા હોય છે. જે બે નારકો સરખા સમયવાળી વિગ્રહગતિથી અનાહારક થઈને ઉત્પન્ન થયા છે. અથવા ઋજુગતિથી આવીને ઉત્પન્ન થયા છે. અને બંનેમાં એક નારક બીજા નારક કરતાં તુલ્ય હોય છે. અર્થાત્ સરખા યોગવાળા હોય છે. એટલે કે જે નારક વિગ્રહગતિના અભાવથી જે નારક થયા છે. તે વિગ્રહગતિમાં અનાહારક થયેલા નારક કરતાં અત્યંત ઉપચિતવધેલા હોવાના કારણથી વિષમ-વિપરીત યોગવાળા હોય છે. એનો અર્થ એ થયો કે આહાર કરવાવાળા નૈરયિક કરતા આહારક ન કરવાવાળા નારકો હીન યોગવાળા હોય છે. તથા આહાર ન કરવાવાળા નારકો કરતાં આહાર કરવાવાળા નારકો વધારે યોગવાળા હોય છે. તથા બંને આહાર કરવાવાળા નારકો અથવા બંને અનાહારક નારકો અન્યોન્યમાં સરખા યોગવાળા હોય છે. તેથી અપેક્ષાથી જે નારકો અન્યોન્યમાં સરખા યોગવાળા હોય છે. તેથી અપેક્ષાથી જે નારકો હીન યોગવાળા હોય છે. તેની અપેક્ષાથી હિનપણામાં અસંખ્યાતમો ભાગ હીન હોય છે. અથવા સંખ્યાતમો ભાગ હીન હોય છે.. અથવા સંખ્યાલગણા હીન હોય છે. કારણ કે તેઓ કોઈ વાર વિષમ યોગવાળા પણ
૩૭૦