SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અને દેખે તો પણ પડે નહિ. તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે. (૪) મનઃ પર્યવશાન ૯ : બાહ્ય મન સંબંધી સમસ્ત પ્રકારે જાણવું. તેને મન:પર્યવજ્ઞાન કહે છે. અથવા મનના પર્યાયોનું અર્થાત્ ધર્મોનું જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન જાણવું. મનના ચાર પ્રકાર જાણવા (૧) લબ્ધિમાન તે અનુત્તર વાસી દેવોને હોય (૨) સંજ્ઞા મન તે સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચને હોય (૩) વર્ગણા મન તે નારકી અને ભવનપતિથી નવરૈવેયક સુધીના દેવોને હોય. અને (૪) પર્યાય મન તે મનઃ પર્યવજ્ઞાનીને હોય છે. મનઃ પર્યવ જ્ઞાન માત્ર મનુષ્યોને જ થાય. તેમાં પણ ઇન્દ્રિયો તથા મનની સહાયતાની જરૂર પડતી નથી. તેનો વિષય અઢીદ્વિપ અને તેની અંદર આવેલા સમુદ્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું મનોગત દ્રવ્ય છે. દ્રવ્ય મન મનોવર્ગણા રૂપ છે. આ જ વર્ગણા જયારે જીવથી ગ્રહિત થઈ જાય છે અને જ્યારે જીવ તેમનો વિચાર કરવા લાગે છે ત્યારે આ વિચારનું નામ જ ભાવમન છે. જેટલી પણ વિચારધારાઓ છે તે બધી જ ભાવ મનની પર્યાય જાણવી જોઈએ. અર્થાત બીજાના મનમાં રહેલા વિચારધારારૂપ પર્યાયોને સ્પષ્ટરૂપથી જાણનારા જ્ઞાનનું નામ જ મનઃ પર્યવજ્ઞાન છે. • મનઃ પર્યવજ્ઞાન આમષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યમ્ દષ્ટિ સંખ્યાત વર્ષના આયુવાળા પર્યાપ્ત કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યોને થાય છે તે મનઃ પર્યવ જ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ. (૧) ઋજુમતિ - તે સામાન્ય પણે જાણે અર્થાત વિષયને સામાન્યરૂપ ગ્રહણ કરનારું જ્ઞાન તે ઋજુમતિ છે. (૨) વિપુલમતિ - તે વિશેષપણે જાણે અર્થાત્ વિષય વિશેષરૂપથી ગ્રહણ કરનારું જ્ઞાન તે વિપુલમતિ છે. (૫) કેવલજ્ઞાન : (૧) જે એક અસહાયજ્ઞાન છે. તેનું નામ કેવલજ્ઞાન છે. તેમાં ઇન્દ્રિય વગેરેની તથા અન્ય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી તેથી તે અસહાયજ્ઞાન છે. અથવા (૨) જે શુદ્ધજ્ઞાન હોય છે તે કેવલજ્ઞાન છે. કેમકે આ જ્ઞાન સર્વ આવરણો નષ્ટ થયા પછી થાય ૩૩૮
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy