________________
દર્શન મોહનીય કર્મના ઉદયથી જે સમ્યગ્દર્શન નષ્ટ થાય છે. એવા સમ્યગ્દર્શનને પ્રતિપાતિ સમ્યગ્દર્શન કહે છે. ઔપશમિક સમ્યગ્દર્શન અને ક્ષયોપશમિક સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શનો પ્રતિપાતિ હોય છે. કારણ કે તેમનો સ્વભાવ નષ્ટ થઈ જાય એવો હોય છે.
ક્ષાયિક સમ્યગ્દર્શન અપ્રતિપાતિ હોય છે. કારણ કે તે પોતાના દર્શન મોહનીય કર્મના સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે.
સમ્યક્ત્વની સ્થિતિ ઃ
સાસ્વાદાન સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા પ્રમાણ છે. ઔપશમિક અને વેદક સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ક્ષયોપશમિક સભ્યક્ત્વની સ્થિતિ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક ૬૬ સાગરોપમ પ્રમાણ છે.
ક્ષાયક સમ્યક્ત્વની સ્થિતિ સાદિ અનંત છે.
મિથ્યાદર્શનના૧૪ બે પ્રકાર છે :- .
(૧) અભિગ્રહિક મિથ્યાદર્શન અને (૨) અનાભિગ્રહિક મિથ્યાદર્શન. અભિહિક અને અનાભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે-બે ભેદ છે. (૧) સપર્યવસિત અને (૨) અપર્યવસિત.
વિપરીત દર્શનને મિથ્યાદર્શન કહે છે. આ મિથ્યાદર્શન અતત્ત્વમાં તત્ત્વાભિનિવેશરૂપ હોય છે. અથવા તત્ત્વમાં અતત્ત્વાભિનિવેશ રૂપ હોય છે. મિથ્યાદર્શન મોહનીયના ઉદયથી જીવમાં ઉત્પન્ન થાય છે. સત્યતત્ત્વમાં અશ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન છે. જ્યાં કદાગ્રહનો સદ્ભાવ હોય છે. ત્યાં અભિગ્રહિક મિથ્યાદર્શન હોય છે. તેનાથી ભિન્ન એવું જે મિથ્યાદર્શન છે તેને અનાભિગ્રહિક મિથ્યાદર્શન પણ કહે છે.
જે મિથ્યાદર્શન સમ્યકત્વની પ્રાપ્તિ થતાં નષ્ટ થઈ જાય છે તે મિથ્યાદર્શનને સપર્યવસિત મિથ્યાદર્શન કહે છે. અભવ્ય જીવને જે મિથ્યાદર્શન પ્રાપ્ત થાય છે તે અપર્યવસિત (અનંત) હોય છે. કારણ કે અભવ્ય જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી જ નથી.
૩૫