SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ આગમમાં અને ટીકા સાહિત્યમાં સમુદ્યાતનું વિવેચન : નારકોમાં ચાર સમુદ્દાત કહ્યા છે તે પ્રથમના ચાર નારકોમાં તેજો લબ્ધિ, આહારક લબ્ધિ અને કેવલી લબ્ધિનો અભાવ હોવાથી તૈજસ આહારક અને કેવલી સમુદ્યાત નથી હોતા. ભવનવાસી, વાણવ્યંતરો, જયોતિષ્કો અને વૈમાનિકોમાં પ્રથમના પાંચ સમુદ્યાત હોય છે. તેમનામાં વૈક્રિય લબ્ધિ અને તૈજસ લબ્ધિનો સંભવ હોય છે. તેથી તેમનામાં પાંચ સમુદ્યાત હોય છે. પરંતુ તેમનામાં આહારક લબ્ધિ અને કેવલીત્વનો સંભવ ન હોવાથી અંતિમ બે સમુદ્યાત હોતા નથી. પૃથ્વીકાયિકો, અપમાયિકો, તૈજસકાયિકો, વનસ્પતિકાયિકો, બેઈન્દ્રિયો, તે ઇન્દ્રિયો અને ચૌરેન્દ્રિયોમાં પ્રથમના ત્રણ સમુદ્યાત હોય છે. આ બધામાં વૈક્રિય લબ્ધિનો અભાવ હોવાથી વૈક્રિય વગેરે સમુદ્યાત નથી. પરંતુ વાયુકાયિકોમાં વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વાયુકાયિકોમાં ચાર સમુદ્યાત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોમાં દેવોની જેમ પાંચ સમુદુધાત હોય છે. મનુષ્યોમાં સાતેય સમુદ્યાત હોય છે. કેમકે મનુષ્યોમાં બધી લબ્ધિઓનો સંભવ છે. એકેએક નારકના વેદના સમુદ્યાત અનંત થયા છે. કેમકે નરક આદિ સ્થાનોને અનંતવાર પ્રાપ્ત કર્યા છે. અને એકવાર નારકસ્થાનની પ્રાપ્તિના સમયે અનેકવાર વેદના સમુદ્ધાત કરેલા છે. અવ્યવહાર રાશિથી નિકળતાં અનંતકાળ વ્યતીત થયો છે. તે અપેક્ષાએ અનંતવેદના સમુદ્યાત અતીત કહ્યા છે. જે જીવોને અવ્યવહાર રાશિથી નિકળ્યાને થોડો જ સમય થયો છે. તે અપેક્ષાએ સંખ્યાત અથવા અસંખ્યાત વેદના સમુદ્યાત સમજવા. એકેએક નારકના ભાવિ વેદના સમુદ્યાત કોઈના હોય છે તો કોઈના નથી હોતા. જેના હોય છે તેના ૧, ૨, ૩ જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. અર્થાત્ જીવ પૃચ્છાના સમય પછી વેદના સમુદ્યાત વગર જ નારકથી નીકળીને મનુષ્ય ભવમાં વેદના સમુદ્ધાત કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત કરશે. તેની અપેક્ષાએ એક પણ વેદના સમુદ્યાત નથી. જે પૃચ્છાના સમય પછી આયુષ્ય શેષ ૯૬ '
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy