SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પર્યવજ્ઞાન હોય છે. શુકલલેશ્યામાં ઃ બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. તે ઉપર પ્રમાણે જ સમજવું અને એક જ્ઞાન હોય તો કેવલજ્ઞાન હોય છે. ઉપયોગમાં લેશ્યા ઃ ૧૨ ઉપયોગમાંથી કેવલજ્ઞાન અને કેવલદર્શન વર્જીને ૧૦ ઉપયોગમાં ૬ લેશ્યા છે અને કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં એક શુકલલેશ્યા જ હોય છે. લેશ્યા અને યોગ ઃ લેશ્યા અને યોગમાં અવિનાભાવી સંબંધ છે. જ્યાં યોગ છે ત્યાં લેશ્યા છે. જે જીવ સલેશી છે તે સયોગી છે. અને જે જીવ અયોગી છે તે અલેશી છે. જે અલેશી છે તે અયોગી પણ છે. લેશ્યાની વિચારણાથી આત્મજાગૃતિ લેશ્યાઓના અનુભવોને જાણીને સંયમી મુનિ અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત લેશ્યામાં વિચરે (રહે). : જેજ સાધુ છ લેશ્યા, છ કાય તથા આહાર કરવાનાં છ કારણોમાં સદા સાવધાનીથી રહે છે તે ભવભ્રમણ નથી કરતા. સંતોઓ છ લેશ્યાઓમાં સાવધાનીથી રહેવું જોઈએ. ૮૫ લેશ્યાની પશુદ્ધિ થયા વિના જાતિસ્મરણજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન થઈ શકતું નથી. જે પણ અંતજ્ઞાન ઉત્પન્ન થાય છે તે લેશ્યાની વિશુદ્ધિથી જ થાય છે. લેશ્યાની શુદ્ધિ વિના આનંદનો અનુભવ થતો નથી. ટિપ્પણી : ૧. અભિધાન. રાજેન્દ્ર કોશ ભા. ૬. ૨. લેશ્મા કોશ. પાઈ. પૃ. ૯૦૫ ૬૭૫ ૨૬૮
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy