SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૩જુ) સંઘયણ દ્વાર દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ત્રીજા દ્વારમાં સંઘયણ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. સંઘયણના અર્થો : શાસ્ત્રમાં સંઘયણ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. (૧) જેના દ્વારા શરીરના પુદ્ગલો દૃઢતાને પ્રાપ્ત કરે છે. તેનું નામ સંઘયણ છે.' (૨) હાડકાંઓની વિશિષ્ટ રચનાને, હાડકાંઓની શક્તિ વિશેષને તેમ જ (૩) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ હોય છે તેને સંઘયણ કહે છે. સંઘયણના પર્યાયો - સહનન શબ્દ એ સંઘયણનો પર્યાયવાચી શબ્દ છે. સંઘયાના પ્રકારો અને વિવેચન - શાસ્ત્રમાં દર્શાવેલ સંઘયણોને છ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અર્થાત સંઘયણના છ પ્રકારો કહ્યા છે - (૧) વજઋષભ નારાચ સંઘયણ (૨) ઋષભ નારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાજી સંઘયણ (૫) કીલિકા સંઘયણ (૬) સેવાર્ય સંઘયણ. ૨00
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy