________________
(૩) આહારક શરીર :
આહારક નામની લબ્ધિથી આવા શરીરનું નિર્માણ થાય છે. આમષ્ઠષધિ વિગેરે લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિરાજને પ્રયોજન હોતાં જે શરીરનું નિષ્પાદન કરાય છે તે આહારક શરીર કહેવાય છે. આહારક શરીર શુભ અને સ્વચ્છ સ્ફટિકશિલાના સંદેશ શુભ પુદ્ગલોનાં સમૂહથી થાય છે. ચૌદ પૂર્વધર મુનિરાજને કોઈપણ જાતનો સંશય થાય, ત્યારે કેવળી ભગવંતો કે તીર્થંકર ભગવંતો પાસે મોકલવા, તથા તીર્થકરોની સમવસરણાદિક ઋષિ જોવા. એક હાથ જેવડું આહારક શરીર બનાવી મોકલી છે. ત્યાંજ વંદનાદિક કરી પાછું આવી આત્મપ્રદેશો મૂળ ઔદારિક શરીરમાં દાખલ થતાં તરત જ વેરાઈ જાય છે. આ શરીરની વર્ગણાઓ વૈક્રિય શરીરની વર્ગણા કરતાં સૂક્ષ્મ અને તેજસ્વી હોય છે. આ શરીર આખા સંસાર ચક્રમાં ૪ વાર જ કરી શકાય છે. આમર્ષોષધિ એટલે શરીરમાં કે તેના કોઈપણ અવયવમાં એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે કે જેના સ્પર્શ માત્રથી જ સર્વરોગો નાશ પામે છે. આ લબ્ધિ વિના તથા ૧૪ પૂર્વધર વિના આહારક લબ્ધિ હોતી નથી. આહારક શરીર માત્ર મનુષ્યોને જ મળી શકે છે. આહારક શરીરનું વિવેચન અને સંસ્થાન:
- આહારક શરીર એક આકારનાં કહ્યાં છે. માત્ર મનુષ્યનાં જ આહારક શરીર હે છે. મનુષ્ય સિવાયના કોઈનું આહારક શરીર હોતું નથી. મનુષ્યમાં સંમૂચ્છિમ મનુષ્યનું આહારક શરીર હોતું નથી. ગર્ભજ મનુષ્યોના આહારક શરીર હોય છે. ગર્ભજ મનુષ્યમાં પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારક શરીર હોય છે. અકર્મભૂમિ કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યના આહારક શરીર હોતાં નથી. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં પણ સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યના આહારક શરીર હોય છે. અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યનાં હોતા નથી. સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં પણ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં આહારક શરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં હોતાં નથી. પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં પણ સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ
૧૫૩