________________
દંડકમાં ફક્ત પ્રત્યેક છે.
(૫૨) જાતિ દ્વાર :
જાતિ પાંચ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. પાંચ સ્થાવરના દંડકમાં એક એકેન્દ્રિય જાતિ છે. ત્રણ વિકલેન્દ્રિયના દંડકમાં પોતપોતાની જાતિ જાણવી. બાકીના ૧૬ દંડકમાં એક પંચેન્દ્રિયની જાતિ છે.
(૫૩) કાય દ્વાર ઃ
કાય ૬ પ્રકારની છે. (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય
પાંચ સ્થાવરના દંડકમાં પોતપોતાની કાય જાણવી. બાકીના ૧૯ દંડકમાં એક ત્રસકાય છે. જીવાભિગમ સૂત્રમાં તેઉકાય તથા વાઉકાયની ગતિ ત્રસમાં ગણેલ છે. પણ તેમને ત્રસ નામ કર્મનો ઉદય નથી.
(૫૪) ગર્ભજ અગર્ભજ દ્વાર :
માતાના ઉદરથી યોની દ્વારા જન્મે તેને ગર્ભજ કહે છે. ગર્ભજ સિવાયના બાકી બધા જીવો અગર્ભજ કહેવાય છે. મનુષ્યના તથા તિર્યંચ પંચેન્દ્રિયના એ બે દંડકમાં ગર્ભજ તથા અગર્ભજ એ બંને છે. અને બાકી ૨૨ દંડકના જીવો અગર્ભજ છે. (૫૫) સિઝણા દ્વાર :
પહેલી ત્રણ નરકના નીકળ્યા. દરેક નરકના જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦. એક સમયે સિઝે. ચોથી નરકના નીકળ્યા એક સમયે ઉત્કૃષ્ટ ચાર સિઝે, શેષ ત્રણ નરકના નીકળ્યા સીઝે નહિં.
૧૦ ભવનપતિ. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય. વાણવ્યંતર જ્યોતિષીએ ૧૪ દંડકના નીકળ્યા એક સમયે ઉત્કૃષ્ટ ૧૦ સિઝે. વૈમાનિકના દંડકના નીકવ્યા ૧૦૮ એક સમયે સિઝે. પૃથ્વી, પાણીના નીકળ્યા એક સમયે ચાર ચાર સિઝે. વનસ્પતિના દંડકના નીકળ્યા એક સમયે છ સિઝે. તેઉ, વાઉ અને ૩ વિકલેન્દ્રિય એ પાંચ દંડકના નીકળ્યા એક પણ સિઝે નહિં.
૧૦૪