________________
લાભ. શેષ ૨૩ દંડકમાં, એકે નિયંઠો ન લાભે. (૨૫) સંજસ્યાદિ દ્વારઃ
• ૬થી ૧૪ ગુણસ્થાન સુધીના જીવોને સંયતિ કહેવાય છે. ૧થી ૪ ગુણસ્થાન સુધી વર્તતા જીવોને અસંયતિ અને પાંચમાં ગુણ સ્થાનવાળા જીવોને સંયતાસંયત કહેવાય છે. મનુષ્યના દંડકમાં ત્રણ છે. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં સંયતાસંયતિ અને અસંયત છે. બાકીના ૨૨ દંડકમાં અસંયતિ છે. (ર) વિરતિ અવિરતિ દ્વારઃ
૧૨ અવ્રતથી નિવર્યા છે તેને વિરતી કહે છે. ૧૨ અવ્રતથી નિવર્યા નથી તેને અવિરતિ અને ૧૨ અવ્રતથી કાંઈક નિવર્યા ને કાંઈક અનિવર્યા છે તેને વિરતાવિરતિ કહે છે. તેમાં દંડક ૨૫માં દ્વાર પ્રમાણે હોય છે. (૨૭) સંવડાદિ દ્વાર :
સંવુડ એટલે જેણે ઇન્દ્રિયોને વશ કરેલ છે. અસંવડા એટલે જેણે ઇન્દ્રિયો વશ કરી નથી. સંવડા સંવુડ એટ્લે જેમણે ઇન્દ્રિયોને કાંઈક વશ કરી છે અને કાંઈક નથી કરેલ. તે ૨૫માં બોલ પ્રમાણે દંડક બતાવેલ છે. (૨૮) પચ્ચખાણાદિ દ્વારઃ
જેણે સર્વ સાવધયોગના સર્વથા પચ્ચખાણ કર્યા છે તેને પચ્ચખાણી, જેણે સાવઘયોગના બિલકુલ પચ્ચખાણ કર્યા નથી તેને અપચ્ચખાણી, અને જેણે કાંઈક પચ્ચખાણ કર્યા છે અને કાંઈક પચ્ચખાણ કર્યા નથી તેને પચ્ચખાણી અપચ્ચક્માણી કહે છે. એ દ્વારમાં પણ ૨૫માં દ્વાર પ્રમાણે દંડકના વિભાગ કરેલ છે. (૨૯) પંડિતાદિ દ્વારઃ ' રત્નત્રયીની વિશુદ્ધતા પ્રાપ્ત કરવા જે આત્માની શક્તિનો ઉપયોગ કરે છે તેને પંડિત કહે છે. એ પ્રમાણે જ નથી કરતા તેને અપંડિત કહે છે. અને કાંઈક કરે ને કાંઈક નથી કરતા તેને પંડિતા પંડિત કહે છે. મનુષ્યના દંડકમાં ત્રણે બોલ લાભે. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં અપંડિત તથા પંડિતા-પંડિત એ બે બોલ અને ૨૨ દંડકમાં અપંડિત છે.
EE