SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ રોમ અને કવળ આહાર જેવા આહારના પ્રકારો બતાવીને કયા જીવોને કયા કયા આહાર હોય અને કયા દંડકમાં કેટલા સમયે આહારની ઇચ્છા થાય છે તેનું વર્ણન કર્યું છે. (૪) શરીદ્વાર : તેમાં પાંચ શરીરોની વ્યાખ્યા કરીને કયા દંડકમાં કેટલાં શરીર હોય છે તેનું વિવેચન કર્યું છે. જે દંડક પ્રકરણમાં આપેલ છે. (૫) સ્થૂલ અને સૂક્ષ્મ શરીર ઃ ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ સ્થૂલ શરીર તથા તૈજસ અને કાર્પણ શરીર ને સૂક્ષ્મ શરીર બતાવ્યાં છે. (૬) શ્વાસોશ્વાસ દ્વાર : તેમાં શ્વાસોશ્વાસ લેવાનો સમય બતાવેલ છે. (૭) ભાષાદ્વાર : તેમાં ભાષાના પ્રકાર અને ભાષા પર્યાપ્તિનો સમય બતાવેલ છે. પાંચ સ્થાવર વર્જી ૧૯ દંડકમાં ભાષા બોલનારા છે. (૮) મન દ્વાર : મનના પ્રકાર અને મન પર્યાપ્તિનો સમય બતાવેલ છે. સંશીના ૧૬ દંડકમાં મનનો યોગ છે. (૯) પર્યાપ્તિદ્વાર : નામ કર્મના ઉદયથી પુદ્ગલોનું ગ્રહણ અને ચય ઉપચય થાય છે અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી તે પુદ્ગલોની પરિણમાવવાની જીવની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. (૧૦) કર્મદ્વાર : આઠ કર્મોનું કર્મપ્રકૃત્તિ ઉપર વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. ઘાતી-અઘાતી કર્મ, ધ્રુવબંધી, અવબંધી પ્રકૃત્તિ આદિ બતાવેલ છે. ચોવીસે દંડકમાં આઠ કર્મો છે. Εξ
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy