SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) વીશ સ્થાનક વિચારામૃત સંગ્રહ આ કૃતિના રચયિતા તપાગચ્છના જિનહર્ષસૂરિ છે. ૨૮૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિમાં ૨૦ સ્થાનકના તપ, કથાનકો વિસ્તારથી આપ્યા છે. ' (૨૨) ચર્ચરી : આ અપભ્રંશ કૃતિનાં ૪૭ પદ્ય છે. એની રચના ખડતરગચ્છ જિનદત્તસૂરિએ કરી છે. એમાં વિધિચૈત્યગૃહની વિધિ, ઉસૂત્રભાષણનો નિષેધ ઇત્યાદિ વાતોને સ્થાન આપ્યું છે. (૨૩) કાલ સ્વરૂપ ફલક : એના કર્તા જિનદત્તસૂરિ છે. આ રચનામાં વિવિધ દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. અપભ્રંશ તથા “પદ્ધરિકા” છંદમાં આ કૃતિ રચિત છે. (૨૪) આગમિક વસ્તુ વિચાર સારઃ આ જૈન મહારાષ્ટ્રમાં ૮૬ પદ્યની રચના છે. આ પ્રાચીન કર્મગ્રંથોમાંથી એક માનવામાં આવે છે. એમાં જીવ માર્ગણા, યોગ, ૫યોગ અને વેશ્યાનું નિરૂપણ છે. એના રચયિતા ખરતરગચ્છના જિનવલ્લભસૂરિ છે. (૨૫) સ્માર્થ વિચાર સાર : આ કૃતિ પણ જિનવલ્લભસૂરિની છે. તેઓ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. એમાં કર્મસિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૨૬) પ્રશ્નોત્તર રત્નમાલાપ : ૨૯ પદ્યોની આ કૃતિ સર્વમાન્ય, સામાન્ય નીતિ પર પ્રશ્ન અને ઉત્તરથી પ્રકાશ પાડે છે. એના પ્રણેતા વિમલસૂરિ છે. (૨૭) સર્વસિદ્ધાંત વિષમપદ પર્યાયઃ આ કૃતિ શ્રી ચંદ્રસૂરિની છે. તે કૃતિ ૨૨૬૪ શ્લોક પ્રમાણ છે. તેમાં વિવિધ આગમોની વ્યાખ્યાઓમાં આવવાવાળા દુર્બોધ પર પ્રકાશ પાડે છે. • ૫૬
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy