SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચારને શરણ માનેલ છે. તેથી તેને ચતુઃ શરણ કહેવાય છે. તેમાં ષડાવશ્યકની ચર્ચા છે. આ પ્રકીર્ણક વીરભદ્રકૃત છે. (૨) આતુર પ્રત્યાખ્યાન” : તેમાં ૭૦ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં મુખ્યત્વે બાલ મરણ અને પંડિત મરણનું વિવેચન છે. આચાર્યે મરણના ૩ પ્રકારો બતાવ્યા છે. અંતમાં મારણાંતિક પ્રત્યાખ્યાનની ઉપાદેયતા બતાવી છે. (૩) મહાપ્રત્યાખ્યાન ૫ : મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં ત્યાગનું વિસ્તૃત વર્ણન છે.. આ પ્રકીર્ણકમાં પંડિત મરણ, પાંચ મહાવ્રત, વૈરાગ્ય, આલોચના આદિ ઉપર પ્રકાશ પાડયો છે. અને આચાર્યે બતાવ્યું છે કે પ્રત્યાખ્યાનનું સારી રીતે પાલન કરવાવાળા વૈમાનિક દેવ અથવા સિદ્ધ થાય છે. (૪) ભક્તપરિશા : ભક્ત પરિશામાં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં ભક્ત પરિજ્ઞા નામના મરણનું વિવેચન છે. આ મરણથી આરાધના પૂર્ણ રીતે સફળ થાય છે. તેના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ભક્તપરિક્ષા, ઇંગિની, અને પાદોપગમન. આ પ્રકીર્ણકના કર્તા વીરભદ્ર છે. (૫) તંદુલવૈચારિક : આ પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. સો વર્ષની ઉંમરવાળો પુરુષ કેટલા “તંદુલ” ચોખા ખાય છે તેની સંખ્યાપૂર્વક વિશેષ વિચારણા કરવાના કારણે ઉપલક્ષણથી આ પ્રકીર્ણકને તંદુલ વૈચારિક કહેવાય છે. અંતમાં બતાવ્યું છે કે આ શરીર, જન્મ, જરા, મરણ અને વેદનાથી ભરેલું છે. શરીરની અનિત્યતા સમજીને આરાધના કરવાથી ત્રિવિધ તાપથી મુક્તિ મળે છે. (૬) સંસ્તારક : આ પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. સંસ્તારક અર્થાત્ તૃણ આદિની શય્યાનું ૨૦
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy