________________
ભર્તૃહરિકૃત વૃદ્ધિ હાનિનું કારણ
शार्दूलविक्रीडितवृत्त
शुभ्रं सद्म सविभ्रमा युवतयः श्वेतातपत्रोज्ज्वला लक्ष्मीरित्यनुभूयते चिरमनुस्यूते शुभे कर्मणि । विच्छिन्ने नितरामनङ्गकलहक्रीडा त्रुटत्तन्तुकं मुक्ताजालमिव प्रयाति झटिति भ्रश्यद्दिशो दृश्यताम् ॥९४॥
ચિર કાળથી પ્રાપ્ત થયેલું શુભ કર્મ હોય તે સુધાધવલ ગૃહ, વિલાસવતી યુવતિએ અને શ્વેત છત્રથી ઉજ્જવલ રાજ્ય લક્ષ્મી ભાગવવાને મળે છે. શુભ કર્મ નષ્ટ થતાં અતિશય રતિકલડુ રૂપ ક્રોડાને લીધે તુટી ગયેલા તંતુવાળા મેાતીએની સેરેની પેઠે તે સર્વ સત્વર ભ્રષ્ટ થઈ દશે દિશાઓમાં નીકળી જાય છે. ૯૪
વિચારવિનાના કર્મનું ફળ
બુદ્ધિમાન માણસે જે કાર્ય કરવું, તે છેવટ સુધીને વિચાર કુરીતે કરવું.
मालिनीवृत्त
गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेभवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥९५॥
ગુણવાળું વા ગુણ વગરનું કાર્ય કરનારા પંડિતે પ્રથમથી જ યત્નથી પરિણામના વિચાર કરવા જોઇએ. (એટલે આ કાર્યનું પરિણામ સુખદાયક થશે વા દુઃખઠ્ઠાયક તે વિચારવું જોઈએ, તેમ ન કરે તે દુઃખ થાય.) અતિ ઉતાવળથી કરેલાં કર્મોનું પરિણામ શલ્ય (બાજુનાં મૂળાં) પેઠે મરણુ પર્યંત હૃદયમાં દારૂં કરનારું થઇ પડે છે. ૯૫