________________
૧૭
નીતિશતક ભૂખની નિવૃત્તિ થાય તેમ નથી, પણ તેથી કુતરે પ્રસન્ન થાય છે, અને સિંહ પાસે આવેલા શિયાળને તજીને હાથીને જ મારે છે. એટલા માટે સઘળાં પ્રાણીઓકષ્ટને પામેલા હોય તે પણ પોતાનાં બળને અનુકૂળ ફળની જ ઈચ્છા કરે છે. ૨૨
કુતરા અને હાથીના દ્રષ્ટાંતથી શુદ્ર માણસનું તુચ્છપણું અને ઉત્તમ માણસનું ધીરપણું બતાવે છે. वसन्ततिलकावृत्त
लागूलचालनमधश्चरणावपातं । भूमौ निपत्य वदनोदरदर्शनं च । श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु
धीरं विलोकयति चाटुशतैश्च भुक्ते ॥२३॥ કુતરું ખાવા આપનારની આગળ પૂછડું હલાવે છે, પગ આગળ નીચે પડે છે અને પૃથ્વી ઉપર પડીને મુખ તથા પેટ બતાવે છે, પણ ઉત્તમ હાથી તે ગંભીરપણુથી જુવે છે અને મધુર વચનેવટે પ્રાર્થના કરવાથી ખાય છે. એ જ પ્રકારે ક્ષુદ્ર માણસ કુતરાની પેઠે મુખ હલાવવું વગેરે ક્રિયા કરે છે ને ઉત્તમ માણસ હાથીની પેઠે ગંભીરપણથી જુવે છે અને અતિ આદરવાળાં પ્રિય વચનેવડે શ્લાઘા કરવાથી ભજન કરે છે.
કલોદ્ધારક પુરુષ " કુળની ઉન્નતિ કરનાર પુરુષ ઉત્તમ છે, બીજે નહિ. अनुष्टुभवृत्त
परिवर्तिनि संसारे मृतः को वा न जायते। . • સજાતો ચેન ન યાતિ વંઃ મુરતિમ ારકા - જેમાં ઉત્પત્તિ અને નાશ થાય છે એવા સંસારમાં ક પુરુષ ઉત્પન્ન નથી થયે ને કે પુરુષ મરણ નથી પામ્યો? (અર્થાત અનેક જમ્યાં અને મરણ પામ્યા, પરંતુ