________________
૬
ભર્તુહરિકૃત તેપણ, અતિ કષ્ટ દશાને પામેલે હાય તેપણું અને તેજ વિનાને થયેલ હોય તે પણ જેને મોટા મોટા મદોન્મત્ત હાથીઓનાં કુંભસ્થળે ફાડીને તેમાંથી જ કેળીઆ ભરવાની ઈચ્છા બંધાયેલી છે કે જે માનીને આગેવાન છે, તે સિંહ, પ્રાણતિ વખતે પણ શું સૂકું ઘાસ ખાય છે? અર્થાત ખાતે નથી. ૨૧
તાત્પર્ય–જેમ માની સિંહ પોતાના ભક્ષ્ય માંસને છેડીને પ્રાણત વખતે પણ રસરહિત ઘાસને ખાવારૂપ નીચ કર્મ કરતે નથી, તેમ માની પુરુષો પણ પ્રાણાંત સમયે નીચ કર્મ કરતા નથી.
ઉતમ સિંહ અને અધમ કુતરા વચ્ચેનો ભેદ
માની પુરુષને ઉપર કહેલે પ્રકારે આચરણ કરવા છતાં પણ પિતાના બળને યોગ્ય ફળ મળે છે, તે પર કુતરાનું અને સિહનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त स्वल्पं स्नायुवसावशेष(षेक)मलिनं निर्मासमप्यस्थि गोः श्वा लब्ध्वा परितोषमेति न तु तत्तस्य क्षुधाशान्तये। सिंहो जम्बुकमङ्कमागतमपि त्यक्त्वा निहन्ति द्विपं सर्वः कृच्छ्रगतोऽपि वाञ्छति जनः सत्त्वानुरूपं फलं ॥२२॥
આંતરડાંવાળું અને ચરબીવાળું હોવાથી મલિન અને માંસરહિત એવાં બળદનાં હાડકાંને પામીને, જો કે તે હાડકાંથી ॐ आकारो रुचिरः स्थिरश्च विभवो विद्यावदातं मुखं तुष्टे विष्टपहारिणीष्टदहरौ संप्राप्यते देहिनाम् ॥
જે જગતને ઉદ્ધાર કરનાર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા હોય તો જ પુરુષને સારાં આચરણવાળે પુત્ર, સતી સ્ત્રી, પ્રસન્ન સ્વામી (શેઠ વગેરે પિષણ કરનાર), સ્નેહવાળે મિત્ર, શુદ્ધ મનથી રહેનાર સેવકવર્ગ, કલેશના લેશ વિનાનું મન, શરમ,સ્થિર વૈભવ અને વિદ્યા વિશુદ્ધ મુખ પ્રાપ્ત થાય છે.