________________
૨૮
ભર્તૃહરિષ્કૃત
સંપાદન કરતાં કરતાં જ્યારે તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે તે પુત્રને સમાધીને કહે છે, કે વ્હે પુત્ર! હવે મને ખાધેલું અન્ન પચતું નથી, ઔષધ પણુ પોતાનું પરાક્રમ કરવા સમર્થ નથી, હાલવા ચાલવામાં શક્તિ રહી નથી, આ શરીર જરાથી જીણુ થઇ ગયું છે, અને હુવે મને આંખે પણ દેખાતું નથી.” આમ ખળાપેા કરતાં કરતાં જ તે મરણ પામે છે, પરંતુ ઇશ્વરારાધના કરી શકતા નથી. ૫૦ : ટૂરિ{વૃત્ત :
अद्य श्वो वा मरणमशिवं प्राणिनां कालपाशैकृष्टानां जगति भवति नान्यथात्वं कदाचित् । यद्यप्येवं न खलु कुरुते हा तथाप्यर्थलोभं हित्वा प्राणी हितमवहितो देवलोकानुकूलम् ॥ ५१ ॥
આ જગત્ વિશે પ્રાણીએ કાળના પાશથી આકર્ષાચેલાં છે. તેઓનું આજે અથવા તે આવતી કાલે મૃત્યુ અથવા તે અશિવ (અકલ્યાણુ) થવાનું છે. તેમાં કિ પણ ફેરફાર થવાનેા નથી. આવી જાતની સ્થિતિ છે, તથાપિ ખેદની વાત એ છે, કે પ્રાણી ધનના લેાભ ત્યજી દઈ, મનને સાવધાન કરીને આત્માનું હિત કરવા માટે પરલેાકમાં અનુકૂલ થઇ પડે તેવું સુકૃત સંપાદન કરવા માટે પ્રયત્ન કરતા નથી. ૫૧
: शार्दूलविक्रीडितवृत्त :
रे रे वित्तमदान्धमोहबधिरा मिथ्याभिमानोद्धता व्यर्थेयं भवतां धनावनरतिः संसारकारागृहे । बद्धानां निगडेन गात्रममतासंज्ञेन यत्कर्हिचित् देवब्राह्मणभिक्षुकादिषु धनं स्वप्नेऽपि न व्येति वः ॥ ५२ ॥