________________
ભર્તુહરિકૃત હોવા છતાં પણ રાત દહાડે એક તીર્થથી બીજે તીર્થ નિત્ય ભટકતા જોવામાં આવે છે અને માર્ગમાં સંકટ વેચા છતાં પણ ભટકવાના સ્વભાવને છેડતા નથી. તેઓને ભટકતા જોઈને મારા મનમાં ખેદ થાય છે. પ ણ
તાત્પર્ય -જ્ઞાનીઓએ તીર્થે તીર્થે રખડવું અયોગ્ય છે. કારણ કે મુક્તિનું સાધન જ્ઞાન તે તેણે સંપાદન કર્યું જ છે. તે પછી તીર્થોમાં શા માટે રખડવું?
સાવિત્રી હિતવૃત્તઃ •
(કાન દેવા વિષ) यावत्ते यमकिंकराः करतलक्रूरासिपाशादयो दुर्दान्ताः सृणिराजदीर्घसुनखा दंष्ट्राकरालाननाः। . नाकर्षन्ति नरान्धनादिरहितान्यत्तावदिष्टेच्छया युष्माभिः क्रियतां धनस्य कृपणास्त्यागः सुपर्वादिषु ॥६॥
હે કૃપણ પુરુષે! હાથમાં ભયંકર તલવાર, પાશ આદિ ધારણ કરનારા, મહા ભયંકર દેખાવના, મેટાં ત્રિશૂળના જેવડા મેટા નખવાળા, દાઢવડે વિકરાળ મુખવાળા યમરાજાના કિકરે, મનુષ્યને ધન, સ્ત્રી વગેરેથી રહિત–એકલા નરકમાં ખેંચી જાય નહિ, તે પહેલાં જ ભવિષ્યમાં સદ્ગતિ સંપાદન કરવાની ઈચ્છાથી તમે શુભ પવને દિવસે સુપાત્રને (ગાય, ભૂમિ, હિરણ્ય વગેરેનું) દાન આપ. ૬
તાત્પર્ય–દાન, ભાગ અને નાશ-ધનની આવી ત્રણ ગતિ છે. જે દાન દેતે નથી, તેમ જ પેટ ભરીને ખાતે પણ નથી, તેવા કૃપણનું ધન પરિણામે નાશ પામે છે. માટે જે હાથે કરીને દીધું અથવા તે ભગવ્યું તે જ ધન પિતાનું સમજવું, બાકીનું ધન પારકું સમજવું.