________________
ભર્તૃહરિકૃત
હાથીને નિયમમાં રાખી શકાય છે, દડવર્ડ ગાયનું અને ગધેડાનું નિવારણ થઇ શકે છે, ઔષધના સેવનથી રાગનું નિવારણ થઇ શકે છે અને નાના પ્રકારના મંત્રપ્રયાગાથી વિષનું નિવારણ થઈ શકે છે. એવી રીતે શાસ્ત્રમાં સઘળાના ઔષધરૂપ ઉપાચા કહેલા છે, પરંતુ મૂર્ખપણાની નિવૃત્તિના એકે ઔષધરૂપ ઉપાય કહુલેા નથી.” ૧૦
*નરપશુ કાણ?
જે માણુસ સાહિત્યશાસ્ત્ર વગેરેથી અજાણ્યા હાય, તે મનુષ્યના આકારમાં પશુ જ છે.
उपजातिवृत्त
साहित्य सङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः । तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥
સાહિત્યને (કાવ્ય અલંકાર વગેરેને), સંગીતને (ગાન વગેરેને) અને કળાને ન જાણનાર પુરુષ, શિ’ગડાં તથા પૂછડાં વિનાના સાક્ષાત્ પશુ જ છે. એ નરપશુ ઘાસ ખાધા વિના જીવે છે, એ તે પશુએનું માટું ભાગ્ય છે; (કારણ કે, જો નરપશુ ઘાસ ખાતે। હાત તા ઘાસ વગેરે ન મળવાથી ખીચારાં પશુ મરણુ પામત.)
જે વિદ્યા વગેરે કાંઇ પણ જાણતા નથી, તેએ પશુએ છે. એ પશુઓ મનુષ્યરૂપે પૃથ્વીપર કરે છે, તે વિષે. इंद्रवज्रावृत्त
येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥
જેઓને વિદ્યા, તપ, દાન, જ્ઞાન, સારા સ્વભાવ અથવા સહર્તન, ગુણ કે ધર્મ કાંઈ પણ નથી, તેઓ પૃથ્વીને ભાર આાપ-નાર મૃગપથુરૂપ છે, છતાં મર્હલેાકમાં મનુષ્યપે કરે છે.