________________
વૈરાગ્યશતક
૩ ૬ યતિનૃપતિસંવાદપ્રકરણ પ૧-૬૦ शार्दूलविक्रीडितवृत्त त्वं राजा वयमप्युपासितगुरुप्रज्ञाभिमानोन्नताः ख्यातस्त्वं विभवैर्यशांसि कवयो दिक्षु प्रतन्वन्ति नः १ इत्थं मानधनातिदूरमुभयोरप्यावयोरन्तरं यद्यस्मासु पराङ्मुखोऽसि वयमप्येकान्ततो निःस्पृहाः ॥५॥
નિઃપૃહાધિકાર-તું જેમ રાજા છે તેમ અમે પણ ગુરુની સેવા કરીને પ્રાપ્ત કરેલી બુદ્ધિના અભિમાનથી ઉત્કૃષ્ટ છીએ; તું જેમ વૈભવથી પ્રખ્યાત છે, તેમ કવિઓ (દશે) દિશામાં અમારા યશને વિસ્તારે છે; આ પ્રમાણે આપણા બન્નેમાંનું અંતર માન અને ધનના વિષયમાં બહ દર છે. માટે તું જે , અમારાથી વિમુખ (આદરરહિત) રહીશ તે અમે પણ તારાથી વધારે નિઃસ્પૃહ રહીશું. પ
તાત્પર્ય-હે રાજન! તું તે કેવળ ધનવાનું છે અને અમે તે ગુરુની ઉપાસના કરી સંપાદન કરેલી બુદ્ધિના અભિમાનરૂપ ધનથી સંપન્ન છીએ. માટે તારામાં અને અમારામ સુમેરુ અને સર્ષ જેટલું બહુ અંતર છે. રાજ્યનું અભિમાન મિથ્યા છે. •
અવક–એક નિઃસ્પૃહની રાજા પ્રતિ ઉક્તિ. स्रग्धरावृत्त अर्थानामीशिषे त्वं वयमपि च गिरामीश्महे यावदर्थ शूरस्त्वं वादिदर्पज्वरशमनविधावक्षयं पाटवं नः। सेवन्ते त्वां धनाढ्या मतिमलहतये मामपि श्रोतुकामा मय्यप्यास्था न चेत्तत्त्वयि मम सुतरामेष राजन्गतोऽस्मि॥५२.
- હે રાજન ! જેમ તમે દ્રવ્યના માલિક છો, તેમ અમે પણ અર્થની પેઠે જ વાણીના માલિક (ઉપાસક) છીએ.