________________
વિરાગ્યશતક
लोकैर्मत्सरिभिर्गुणा वनभुवो व्यालैर्नृपा दुर्जनैरस्थैर्येण विभूतिरप्यपहृता प्रस्तं न कि केन वा ॥३२॥ * પ્રારબ્ધથી જન્મ વગેરે જે જે પ્રાપ્ત થાય છે, તે તે સર્વ ક્ષણભંગુર છે.
મરણ જન્મને, ઘડપણે–વીજળી જેવાં ચંચળ વનને, ધનની પ્રાપ્તિની ઇચ્છાઓ-સંતેષને, પ્રૌઢ સ્ત્રીઓના વિલાસેએ શાંતિનાં સુખને, મત્સરી માણસોએ-ગુણેને, સપેએવનની પૃથ્વીને, દુજનેએ રાજાઓને અને ચંચળતાએ ધયને ગળેલાં છે, માટે આ જગતમાં કોણે શું નથી ગમ્યું? ૩૨ શાહૂવિઝીતિવૃત્ત
आधिव्याधिशतैर्जनस्य विविधैरारोग्यमुन्मूल्यते लक्ष्मीर्यत्र पतन्ति तत्र विवृतद्वारा इव व्यापदः। जातं जातमवश्यमाशु विवशं मृत्युं करोत्यात्मसात्तत्कि नाम निरंकुशेन विधिना यन्निर्मितं सुस्थितम् ॥३३॥
અનેક મનની પીડાઓ અને શરીરના રોગો મનુષ્યનાં આરોગ્યનો મૂળમાંથી નાશ કરે છે, જ્યાં લક્ષમી હોય ત્યાં ‘ઉઘાડાં બારણાંવાળી આપત્તિઓ આવી પડે છે, મૃત્યુ જે જે ઉત્પન્ન થાય, તે તે સર્વને અવશ્ય ત્વરાથી પરાધીન કરીને પિતાને વશ કરે છે. માટે નિરંકુશ એવા વિધિએ જે ઉત્પન્ન કરેલ છે, તેમાં કયું નિશ્ચળ છે? ૩૩
તાત્પર્ય–જગતમાં ઉત્પન્ન થયેલું સર્વ નાશવંત જ છે. शार्दूलविक्रीडितवृत्त भोगास्तुङ्गतरङ्गभङ्गतरलाः प्राणाः क्षणध्वंसिनः स्तोकान्येव दिनानि यौवनसुखस्फूर्तिः प्रियासु स्थिता। तत्संसारमसारमेव निखिलं बुद्धा बुधा बोधका लोकानुग्रहपेशलेन मनसा यत्नः समाधीयताम् ॥३४॥