________________
શૃંગારશતક
૪૭ આત્મજ્ઞાની હૈય તે પણ આ સંસારમાં વિરલ પુરુષ જ સદ્દગતિનું પાત્ર થાય છે. હ૭
અભિપ્રાય-નરકનાં બારણુને ઉઘાડવામાં કુંચી જેવી સ્ત્રીઓની ભ્રકુટી જ્યાં સુધી જગતમાં છે, ત્યાં સૂધી શાસ્ત્ર જનાર આદિ પણ સદ્ગતિને પામતા નથી.
અવ–મોટા પ્રયાસથી પણ કામના વેગનો પરિહાર થતો નથી. એપર કૂતરાનું દૃષ્ટાંત – शिखरिणीवृत्त
कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो वणी पूयक्लिन्नः कृमिकुलशतैरावृततनुः। क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्पितगलः शुनीमन्वेति श्वा हतमपि निहन्त्येव मदनः ॥७८॥
કુશ, કાણા, લંગડો, કાનરહિત (બુચ), પુછરહિત (બાડા), ત્રણવાળે, પરુથી ખરડાયલો, સેંકડો કીડાઓથી. ભરેલાં શરીરવાળે, ભૂખથી દૂબળે થયેલા અને ઘડાના કાંઠલામાં જેણે ગળું ઘાલેલું છે એ ઘરડો કૂતરે, કૂતરીની પછવાડે પછવાડે જાય છે. ( આ પ્રભાવ કૂતરી કે કૂતરાને નથી, પણ કામદેવને છે.) આનું કારણ આ કે કામદેવ મરેલાને પણ મારે છે. ૭૮
૧ ‘વેસાઢ૦’ ફાંત નિ. સા. પાડાન્તરમ્
* મૈથુનજન્ય લડાઈઓમાં બીજા કૂતરાએ કાન તથા પુચ્છ કરડી તથા બચકાં ભરીને બુચો, બાંડે અને ત્રણયુક્ત કરી નાંખેલે.
* બચકાંના ધાવાળો.
+ સાંકડાં મેઢાનાં માટીના વાસણમાં ખાવાની લાલચે પણ મેંટું ઘાલે અને પછી મેટું નીકળે નહિ ત્યારે ભોંય પછાડી પોતે વાસણ ભાંગી નાંખે કે સંધાઈને મરી ગયાની નકે કાઈ વાસણ ફેલ નાંખે ત્યારે તેને કાંઠલો કૂતરાની કેટમાં રહી જાય છે.