________________
પ્રકાશકીય
આ ગ્રંથમાં શ્રી સોમસુંદરસૂરિ વિરચિત શ્રી પર્યંત આરાધના સૂત્રને અવસૂરિ તથા અનુવાદ સાથે તથા |શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ પ્રમાદ પરિહાર કુલક સાનુવાદ પ્રકાશીત કરીએ છીએ.
શ્રી વિનયવિજયજી મ. રચિત આઠ ઢાળનું પુણ્ય i પ્રકાશનું સ્તવન આપણા સંઘમાં સુપ્રસિદ્ધ છે. આમાં દશ । પ્રકારની અંતિમ આરાધના બતાવી છે. માંદગી વગેરેમાં આનું શ્રવણ આજે પણ કરાય છે. આ પુણ્યપ્રકાશના । સ્તવનની રચના શ્રી સોમસૂરિ વિરચિત પર્યંતારાધનાના આધારે કરવામાં આવી છે. અહીં તે પર્યંતારાધના સૂત્રને । તેની અવસૂરિ અને અનુવાદ સહિત ગ્રંથમાં પ્રકાશિત કરીએ છીએ.
જૈન શાસનમાં મૃત્યુની પણ વિધિ હોય છે. શાસ્ત્રવિધિ | પૂર્વક સઘળુ વોસિરાવીને મૃત્યુ પામનાર આત્માના મરણને પંડિત મરણ કહે છે. પંડિત મરણ પામનાર આત્માઓ | સદ્ગતિ પામીને થોડા જ ભવોમાં નિર્વાણને પામે છે.
આવા ગ્રંથો આરાધકોને ખૂબ જ ઉપયોગી છે. આ