SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ મંદબુદ્ધિવાળા આત્માઓના હિત માટે અને પોતાના સ્મરણ માટે, ભવવિરહમોક્ષની સિદ્ધિસ્વરૂપ ફળવાળા આ ભાવો દ્વાદશાગ્રીમાંથી સમુદ્ધર્યા છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-શેષ આગમની અપેક્ષાએ સૂત્ર અને અર્થને આશ્રયીને જેનું વચન પ્રકૃષ્ટ [શ્રેષ્ઠ છે તેને પ્રવચન કહેવાય છે. તે દ્વાદશાર્ગી સ્વરૂપ પ્રવચનથી પૂર્વે પ્રરૂપેલા છે તે ભાવો કોઈ પણ જાતની વિપ્રતિપત્તિ વિના ઉદ્ઘત કર્યા છે. એનું પ્રયોજન પોતાનું અનુસ્મરણ છે અને વિસ્તારથી એ ભાવોનું અવગાહન કરવાની જેમનામાં બુદ્ધિની ક્ષમતા નથી એવા મંદબુદ્ધિવાળા જીવોનું હિત છે. પોતાના અનુસ્મરણ માટે અને મંદમતિજીવોના હિત માટે સમુદ્ભૂત એ ભાવો મોક્ષની સિદ્ધિ-પ્રાપ્તિ સ્વરૂપ ફળવાળા છે. [૧-૧ી . - પ્રકરણના અંતે પૂર્વોક્ત ભાવાર્થના સમ્યજ્ઞાન માટે ઉપાય તરીકે બહુશ્રુત આત્માઓની ભક્તિને ગ્રંથકાર પરમર્ષિ જણાવે છે – - ઘર્મશ્રવણે પત્નઃ સતત હાર્યો વકૃતસવીરે | हितकाङ्क्षिभिर्नृसिंहै वचनं ननु हारिभद्रमिदम् ॥१६-१७॥ હિતના અર્થી એવા ઉત્તમ પુરુષોએ બહુશ્રુત વ્યક્તિઓ પાસે ધર્મ સાંભળવાનો પ્રયત્ન સતત કરવો-આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું વચન છે.” આ પ્રમાણે સત્તરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે. દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારી રાખે તે ધર્મ છે જે શ્રત અને ચારિત્ર સ્વરૂપ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy