________________
આશય એ છે કે પ્રતિષ્ઠા વખતે થોડો પણ બીજન્યાસ સ્વરૂપ જે ભાવ છે તેને ચોક્કસપણે દેશકાલાદિને અનુરૂપ ઉચિત ઉચિત ભાવની વૃદ્ધિ કરવા વડે વધારે જોઈએ. ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતોષને જેણે પ્રાપ્ત કર્યો છે તેમ જ મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવનાથી જેઓ ભાવિત છે તે લોકોએ દેશકાલાદિને અનુરૂપ ભાવની વૃદ્ધિ કરવા વડે પ્રતિષ્ઠાસંબંધી ભાવને ઉપર જણાવ્યા મુજબ વધારવો જોઈએ. al૮-૧૪
જે બીજન્યાસને સંવર્ધિત કરવાનો છે; તે બીજન્યાસની વિશિષ્ટ સ્તવના કરાય છે અર્થાત્ તે બીજન્યાસનો પ્રભાવ જણાવાય છે –
निरपायः सिद्धार्थः स्वात्मस्थो मंत्रराडसङ्गश्च । आनंदो ब्रह्मरसश्चिन्त्यस्तत्त्वज्ञमुष्टिरियम् ॥८-१५॥
“નિરપાય, સિદ્ધાર્થ, સ્વાત્મસ્થ, મન્નરાજ, અસ” આનંદ, બ્રહ્મરસ, ચિત્ત્વ અને તત્ત્વજ્ઞપુરુષોનું રહસ્ય પ્રતિષ્ઠાગત ભાવ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે અપાયોથી દૂર છે-તેને નિરાય કહેવાય છે. જે પ્રાપ્ત થયે છતે ઈષ્ટ વસ્તુઓની સિદ્ધિ થઈ જાય છે તેને સિદ્ધાર્થ કહેવાય છે. પોતાના સ્વરૂપમાં જ જે સ્થિર છે, પરના સ્વરૂપમાં નહિ-તેને સ્થાત્મિસ્થ કહેવાય છે. સ્વાભાવિકગુણસ્વરૂપ હોવાથી આ પ્રતિષ્ઠા સંબંધી ભાવ અલ્પ પણ બળવાન હોવાથી પાધિક પર એવા પ્રબળ કર્મનો