SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્ય દેવતાને ઉદ્દેશીને આ રીતે પોતાના ભાવની કરાયેલી પ્રતિષ્ઠાને શું કહેવાય છે; જે કહેવાય છે તે જણાવાય છે - बीजन्यासः सोऽयं मुक्तौ भावविनिवेशतः परमः । . सकलावञ्चकयोगप्राप्तिफलोऽभ्युदयसचिवश्च ॥८-१३॥ ' “મુક્તિમાં ભાવનો વિનિવેશ થવાથી; આ જે પ્રતિષ્ઠા છે તે આ પરમ કોટિનો “બીજન્યાસ' કહેવાય છે. આ બીજન્યાસથી અભ્યદય વિશિષ્ટ પુણ્યોદય] સહાયક બને છે અને સકલ અવંચક યોગની પ્રાપ્તિ થાય છે.”-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ નિજભાવની પ્રતિષ્ઠા કરતી વખતે મુક્તિમાં ભાવનો એટલે સદન્તઃકરણનો પ્રવેશ થવાથી પુણ્યાનુબંધી પુણ્યનો અથવા સમ્યગ્દર્શનનો પરમ કોટિનો નિક્ષેપ થાય છે. તેથી પ્રતિષ્ઠાને બીજન્યાસ કહેવાય છે. એ બીજના ચાસથી ભવિષ્યમાં સકલ અવશ્ચક યોગની પ્રાપ્તિ થાય છે અને અભ્યદયની સહાયક તરીકે પ્રાપ્તિ થાય છે.. સદ્યોગાવંચક ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક-આ ત્રણ અવશ્યકયોગ છે. તેનું સ્વરૂપ વર્ણવતાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં ફરમાવ્યું છે કે-વિશિષ્ટ પુણ્યશાળી કે જેમના દર્શનથી જ આપણે પવિત્ર બનીએ એવા પવિત્ર પુરુષોનો; તેઓશ્રી ગુણસંપન છે એમ માનીને તેઓશ્રીના દર્શનને આશ્રયીને જે સંબંધ થાય છે તેને પ્રથમ સદ્યોગાવચ્ચક યોગ કહેવાય છે. તે પરમ પવિત્ર પુરુષો ગુણસંપન્ન હોવાથી તેમને
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy