________________
મુખ્ય દેવતાને ઉદ્દેશીને આ રીતે પોતાના ભાવની કરાયેલી પ્રતિષ્ઠાને શું કહેવાય છે; જે કહેવાય છે તે જણાવાય છે -
बीजन्यासः सोऽयं मुक्तौ भावविनिवेशतः परमः । . सकलावञ्चकयोगप्राप्तिफलोऽभ्युदयसचिवश्च ॥८-१३॥ ' “મુક્તિમાં ભાવનો વિનિવેશ થવાથી; આ જે પ્રતિષ્ઠા છે તે આ પરમ કોટિનો “બીજન્યાસ' કહેવાય છે. આ બીજન્યાસથી અભ્યદય વિશિષ્ટ પુણ્યોદય] સહાયક બને છે અને સકલ અવંચક યોગની પ્રાપ્તિ થાય છે.”-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ નિજભાવની પ્રતિષ્ઠા કરતી વખતે મુક્તિમાં ભાવનો એટલે સદન્તઃકરણનો પ્રવેશ થવાથી પુણ્યાનુબંધી પુણ્યનો અથવા સમ્યગ્દર્શનનો પરમ કોટિનો નિક્ષેપ થાય છે. તેથી પ્રતિષ્ઠાને બીજન્યાસ કહેવાય છે. એ બીજના ચાસથી ભવિષ્યમાં સકલ અવશ્ચક યોગની પ્રાપ્તિ થાય છે અને અભ્યદયની સહાયક તરીકે પ્રાપ્તિ થાય છે..
સદ્યોગાવંચક ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક-આ ત્રણ અવશ્યકયોગ છે. તેનું સ્વરૂપ વર્ણવતાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં ફરમાવ્યું છે કે-વિશિષ્ટ પુણ્યશાળી કે જેમના દર્શનથી જ આપણે પવિત્ર બનીએ એવા પવિત્ર પુરુષોનો; તેઓશ્રી ગુણસંપન છે એમ માનીને તેઓશ્રીના દર્શનને આશ્રયીને જે સંબંધ થાય છે તેને પ્રથમ સદ્યોગાવચ્ચક યોગ કહેવાય છે.
તે પરમ પવિત્ર પુરુષો ગુણસંપન્ન હોવાથી તેમને