SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન કરવું જોઈએ. શ્રી જિનાલય માટે જ્યારે ભૂમિ ખરીદવાની હોય અથવા તો બીજી કોઈ રીતે ભેટ વગેરે દ્વારા મેળવવાની હોય ત્યારે ન્યાય-નીતિપૂર્વક મેળવવી જોઈએ. માયા, અસત્ય કે ચોરી વગેરેનો પ્રયોગ કરીને મેળવેલી ભૂમિ શુદ્ધ નથી. ભૂમિના માલિક-શ્રીમંતને ગમે તે કહીને, છેતરીને કે તેનો વિશ્વાસઘાત કરીને પ્રાપ્ત કરેલી ભૂમિ શ્રી જિનાલય માટે ઉચિત નથી. શુદ્ધ ભૂમિ પણ કાયદાકીય દૃષ્ટિએ પણ પરિશુદ્ધ હોવી જોઈએ. આ રીતે મેળવેલી ભૂમિ ઉપર શ્રી જિનાલય બંધાવતી વખતે તે ભૂમિની આસપાસ રહેનારા પાડોશી વગેરેને સત્તાપ થતો હોય તો, તે જગ્યા ઉપર શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું ના જોઈએ. આવી ભૂમિ એ માટે શુદ્ધ મનાતી નથી. શક્ય પ્રયત્ન એ જગ્યાની આસપાસ રહેનારા લોકોના સન્તાપનો પરિહાર કરીને જ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું મુનીન્દ્ર શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે. શ્રી જિનાલયના નિર્માણ માટે જે રીતે ભૂમિ મેળવવાનું અહીં વર્ણવ્યું છે - એ જોતાં વર્તમાનમાં ચાલતી રીતભાતની વિચિત્રતાનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. મુમુક્ષુ આત્માઓએ ઉપર જણાવેલી શુદ્ધ ભૂમિને પ્રાપ્ત કરીને શ્રી જિનાલયનું નિર્માણ કાર્ય કરવું જોઈએ. ગમે તે જગ્યામાં, ગમે તે રીતે પ્રાપ્ત કરેલી જગ્યામાં કે પરને પીડા ઉપજાવનારી જગ્યામાં દેરાસર બંધાવવાનું ઉચિત નથી. II -૪
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy