SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ आगमवचनपरिणतिर्भवरोगसदौषधं यदनपायम् । तदिह परः सद्बोधः सदनुष्ठानस्य हेतुरिति ॥५-९॥ . “જે કારણથી સંસારસ્વરૂપ રોગને દૂર કરનાર હોવાથી આગમવચનની પરિણતિ નિર્દોષ સુંદર ઔષધ છે, તેથી તે સમ્યજ્ઞાન સદનુષ્ઠાનનું કારણ બને છે. આથી જ શ્રેષ્ઠ સબોધસ્વરૂપ આગમવચનની પરિણતિ નામનું ભવરોગનું ઔષધ હોવાથી પ્રધાનપણે વર્ણવાય છે.” - આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે મોક્ષમાર્ગની સાધનામાં આગમવચનના પરિણામની મુખ્યતા જણાવતાં ગ્રંથકારપરમર્ષિએ આ નવમી ગાથામાં ફરમાવ્યું છે કે-આગમવચનની પરિણતિ ભવરોગનું સદૌષધ છે. આગમવચનની પરિણતિ વસ્તુતત્ત્વના વાસ્તવિક પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ છે. આ જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના હાસ[ક્ષયથી ઉત્પન્ન થાય છે; અને ઉપાદેય, હેય તથા શેય સ્વરૂપે ગ્રાહ્ય થનારા વિષયસ્વરૂપે આત્મપરિણામવાળું હોય છે. એટલે જ આ જ્ઞાન; માત્ર વિષયપ્રતિભાસી હોતું નથી, માત્ર વિષયપ્રતિભાસી જ્ઞાનથી જુદું છે. બાલ અને સામાન્ય મૂર્ખ માણસોને જે જ્ઞાન થાય છે તેના જેવા જ્ઞાનને માત્ર વિષયપ્રતિભાસી જ્ઞાન કહેવાય છે. અગ્નિ, શસ્ત્ર કે ફૂલ વગેરે પદાર્થને બાલાદિ જીવો જોતા હોય છે ત્યારે તેમને તે તે વસ્તુનો ચોક્કસ ખ્યાલ તો આવતો હોય છે, તેથી તેને લેવાની તેઓ પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ તે વખતે તેમને એવો ખ્યાલ આવતો નથી કે આ ઉપાદેય છે કે હેય છે. આવું જ માત્ર વિષય-પ્રતિભાસી જ્ઞાનમાં બનતું હોય છે. વિષયનો
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy