________________
(૪૮)
સંભવિતપણું ઘટાળ્યું છે. તેમાં વિચાર કરતાં એમ સમજાય છે. કે કીડીરૂપ કવણાને પગે અથવા આશારૂપ કીડીને પગે અનંત શક્તિવાળા આત્મારૂપ હાથી બધાણા છે. તેનાથી છુટી શકતા નથી એ આશ્ચય છે.
આત્મિક જ્ઞાનરૂપ જળથી ભરેલા સમુદ્રમાં આત્મારૂપ મગર તેના આસ્વાદ ન લેતાં તરસ્યા રહે છે. ૧
વળી મુગ્ધજીવ પ્રગટપણે અમરપણું પ્રાપ્ત કરાવનાર જે જ્ઞાનામૃત તેને તજી દઈને હળાહળ વિષરૂપ જે વિષયરસ તેનું રૂચિપૂર્ણાંક આન ંદથી પાન કરે છે. તેમજ ચિંતામણિ રત્નરૂપ ધર્મને તજીદઇને કાચના કકડારૂપ પુલિક વસ્તુની આશા કરે છે તેને મેળવવા રાત દિન પ્રયાસ' કરે છે,
૨
ત્રીજી ગાથાના પેલા એ પન્નુના ભાવ સમજાતા નથી. ખીજા એ પદમાં કહ્યું કે અહંકાર વતૂલ્ય કઠિન છે તે મૃદુતા–કોમળતા રૂપ જળમાં ગળી જાય છે. અહંકારને નમ્રુતા ગાળી દે છે. અને કેટલાક માયાવી જીવ તરત ગળી જાય તેવા પતાસા જેવા જણાય છે છતાં તે ગળતા નથી-અક્કડ ને અક્કડ રહે છે. ૩
.
આશરૂપ પિશાચી સાથે આ જીવને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છેઅનાદિ કાળથી તેજ આ સંસારમાં પરિભ્રમણ કરાવે છે, છતાં બગલાની જેમ ઉપરથી પ્રેમ-સ્નેહ બતાવે છે. ચિદાનંદજી કહે છે કે–તેજ મનુષ્ય ઉત્તમ છે કે જે એ પાપી ગાશાના પાસ તાડી નાખે છે અને તેનાથો દૂર થઈ-પુન્દ્ગળિક પદાર્થોની પ્રીતિ સર્વથા તજી દઈ માક્ષમહેલમાં બિરાજે છે. ૪