________________
(૫) માત તાત તરૂણું સુખસંતી,
ગરજ ન સરત નિદાન ચિદાનંદ એ વચન હમેરા,
ધર રાખે પ્યારે કાન ભૂલ્યા. ૩ વ્યાખ્યા-આત્માને (આત્માના સ્વરૂપને જાણ્યા સમજ્યા વગર તું ભૂલે ભમે છે અને બીજું ગમે એટલું ભણ્ય હે છતાં તું ખરી વાત (આત્માના રહસ્ય) થી અજાણ હેવાથી અજાણુજ કહેવાય છે. નકામી આળપંપાળમાં તારો સમય બરબાદ કરી નાખે છે, તેથી તું મૂર્ખ ઠરે છે. હે બંધુ! આત્માને અનુભવ થાય એવા શાંત જ્ઞાનામૃતનું પાન કરી તારી રહેણી કરણીને સુધારી હવે તું સુખી થા. (૧)
તારે બરાબર સમજી રાખવાનું છે કે એક દિવસ જેમ. સિંહ મૃગલાને પકડી લે છે તેમ કાળ એચિંતે આવી તને ઝડપી લેશે તે વખતે તારૂં કશું ચાલવાનું નથી. ત્યારે તે પાકેલા પાન જેમ ઝાડથી જુદા પડ ખરી જાય છે તેમ તું પણ તન મન ધનથી અવશ્ય જૂદો થઈ જઈશ. (૨)
માતા પિતા અને સ્ત્રી પુત્રાદિકથી નિહ્ય તારે સ્વાર્થ સરવાને નથી; કેમકે એ સૌ સ્વાર્થનાજ સગા હાઈ સ્વાર્થનિક હેય છે. એ અમારી વાત બરાબર લક્ષગત રાખી ગલત કરીશ નહીં. એમ પોપકારરસિક શ્રી ચિદાનંદજી મહા'રાજ કહે છે. (૩) - સાર બધ-જીવ મુગ્ધતાથી જે શરીર, કુટુંબ કબીલાદિક માટે હવશ મરી પડે છે તે સંબંધ બંધાય કારમા, ક્ષણિક