SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧ ) હવે ખીજી વાત કરે છે કે-એક પુરૂષ એક સ્ત્રીને નીપજાવીપ્રસવ કર્યાં અને તે નારી નપુસકના ઘરમાં જઇને વસી–તેને પરણી તે સ્ત્રી–ને નપુંસક ભર્તારના સમાગમથી બે પુત્રા થયા. તે પુત્રો આ જગતમાં અત્યંત દુ:ખના દેનારા નીવડ્યા. ૩ આ ગાથાના સાર એમ સમજાય છે કે-લેભરૂપી પુરૂષ તૃષ્ણારૂપી સ્ત્રીને પ્રગટાવી-જન્મ આપ્યા. તે મનરૂપ નપુંસકને સ્વેચ્છાએ વરી–પરણી. તેને રાગદ્વેષરૂપ એ પુત્રો થયા કે જે આ જગતમાં સર્વ જીવાને અત્યંત દુઃખ આપનાર છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર છે. ઉપરની એ ગાથામાં કહ્યા પ્રમાણે કારણ વિના કાર્યની સિદ્ધિ કેમ થઇ ? તે મુખદ્વારા કહી શકાતુ નથી. તેજ રીતે ચિદાનંદ જે આત્મા તેની અકળન કળી શકાય એવી જે કળા–તેનું સ્વરૂપ-તેની ગતિ ને મતિ તે કોઈક વિરલ મનુષ્ય જ પામી શકે છે. ૪ (એમાં કર્તાનું નામ પણ સૂચવ્યું છે.) મૂળ વિના વેલનુ થવું, પત્ર વિના જગતમાં વિસ્તરવું અને પત્ર વિના તેમજ મુખ વિના મૃગલાનું ખાવું–આ બધુ કારણ વિના કાય થવા ખરાખર છે. તેમજ પુરૂષથી પુત્રીને પ્રસવ થવા, તેનું નપુંસક પતિને વરવું અને નપુ ંસક પતિથી એ પુત્રની નિષ્પત્તિ થવી આ પણ કારણ વિના કાર્યની સિદ્ધિ થવા સરખું છે. w આ હકીકત એટલે કે એનું રહસ્ય સમજવું જેમ મુશ્કેલ છે 'તેમજ 'આ જ્ઞાનરૂપી આત્માનું સ્વરૂપ સમજવુ તે પણુ તેટલુંજ મુશ્કેલ છે. તે આત્માની ગતિ, તેની વૃત્તિ વિગેરે કાઈ વિરલ મનુષ્યાજ જાણી શકે છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy