________________
(૧૩)
સારધ-શ્રીમાન આનંદઘનજી મહારાજ કહે છે તેમ અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જય.” જે આત્મામાં હૃદયમાં સાચા જ્ઞાન-વિવેકસૂર્ય ઉગ્યો હોય તે પછી રાગ દ્વેષ અને મેહજનિત અંધકાર ત્યાં સંભવેજ કેમ? નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં આત્મા શુદ્ધ જ્ઞાનાદિ ચેતનવાળે છે, મન તથા ઇન્દ્રિયને પણ અગોચર છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રહિત છે, શક્તિરૂપે સિદ્ધ સમાન છે, અજર અમર છે, એ શક્તિને વ્યક્ત-પ્રગટ કરવાને સર્વજ્ઞ–સર્વદશ ભગવાને એકાન્ત હિતબુદ્ધિથી–ભવ્યજનોના હિત માટે બતાવેલ પવિત્ર રત્નત્રયીનું આરાધન કરવાની જરૂર છે. તેમાંજ તન મન વચનની એકાગ્રતા કરવી ઉચિત છે. એથી ઉલટે માગે તન મન વચનને ઉપયોગ કરવાથી તે ભવ-ભય વધતું જાય છે, તેથીજ તેમને પરપરિણામ કહે ઘટે છે. જેથી રાગ દ્વેષ અને મહાદિક પરિણતિ ઘટે, યાવત નિમ્ળ થાય તેજ તત્ત્વજ્ઞાન, તત્ત્વદર્શન અને તવઆચરણ અથવા આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મરમણુતા છે અને તેજ લેખે છે; બીજાં અલેખે છે. નિષ્ફળ થવા પામે છે. પવિત્ર રત્નત્રયીને યથાવિધ આરાધીને અનંત ભવ્યાત્માઓ કલ્યાણભાગી થઈ શક્યા છે.
પદ છછું. (રાગ કાલી અથવા વેલાઉલ.). અકળ કળા જગજીવન તેરી- (એ આકણું.) અત ઉદધિથી અનંતગણું તુજ,
જ્ઞાન મહા લઘુબુદ્ધિ જર્યું મેરી. ૧
૧ સ્વયંભૂરમણ સમુદ્ર.