________________
(૩૫)
અને છેવટે પૂજ્યશ્રીનો જીવન પરિચય ટૂંકમાં આપ્યો છે.
યોગીરાજશ્રી ચિદાનંદજીની એક એક કાવ્યરચના આત્માનંદમાં મગ્ન બનાવી, રસતરબોળ કરી ચિત્તને એકાગ્ર કરી પ્રસન્ન બનાવે છે. આ રીતે સંવર-નિર્જરાના ઉદ્ગમનો હેતુ બની, મોક્ષ માર્ગના ભોમીયાની ગરજ સારે છે. ખરેખર યોગીરાજ કવિશ્રીની દિવ્ય ભાવના અને ભવ્ય જીવ ઉપર ઉપકાર કરવાની ઉત્કંઠા અપૂર્વ રહેલી છે. અધ્યાત્મ પ્રેમી આત્માઓ પૂજ્ય સાધુસા-િશ્રાવક-શ્રાવિકા તથા પાઠશાળાના વિદ્યાર્થી બાળકો-બાળાઓને આ પુસ્તક વાંચવા મોઢે કરવા ગાવા એનો ઊંડો અભ્યાસ કરવા માટે આ એક અપૂર્વ ગ્રંથ છે. આ ગ્રંથના કાવ્યો રસથી પરીપૂર્ણ છે. રાગ-રાગીણી પણ શાસ્ત્રોક્ત અને ભાવ ભરપૂર છે. સાચા સંગીતકારોને આનો લાભ લેવા મારૂં ખાસ સૂચન છે.
અંતમાં આ ગ્રંથ પુનઃમુદ્રણ કરવા માટે પરમ-પૂજ્ય તપોનિધિ, વૈરાગ્ય વાણીની અપૂર્વ વૃષ્ટિ વરસાવનાર, અનેક જીવોને સંયમના માર્ગે લઈ જનારા સ્વર્ગસ્થ આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય રત્ન પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિશ્વરજીએ ‘શ્રી જૈન શાસન આરાધક ટ્રસ્ટ'ના ઉપક્રમે ઓફસેટમાં છપાવી આપવા ઘણો ઘણો ઉપકાર કર્યો છે. તેઓશ્રીને લાખલાખ વંદના કરી જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ત્યાર પછી મૂળ પ્રથમ આવૃત્તિ પ્રગટ કરતા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરના પ્રમુખ પ્રખર વિદ્વાન શ્રી કુંવરજીભાઈ આણંદજી કે જેમણે ઘણો ઘણો શ્રમ ઉઠાવી સંશોધન અર્થ-ભાવાર્થ-શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવેલ તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે.
પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબનું આ પુસ્તકમાં પ્રગટ કરેલ વિદ્વતા ભરપૂર નિવેદન અને આછી રૂપરેખા ‘યત્ કિંચિત’ માટે ખૂબ ખૂબ આભારી છું.
અને છેવટે આ ગ્રંથ ઓફસેટમાં પ્રિન્ટ કરવામાં મારા મિત્ર શ્રી અમિતભાઈ ‘સ્પેક્ટ્રમ ગ્રાફીક્સ’ના માલિકે નેગેટીવ પ્લેટ પ્રિન્ટીંગ બાઈડિંગ વિગેરે પોતાના . તથા અન્યના પ્રેસમાં ખૂબજ સુંદર છતાં વ્યાજબી ભાવે સર્વ કાર્યવાહી કરી સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર.