SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) લેલતા-પુગળપરની આસક્તિ તેને તજી દઈને જ્ઞાનરૂપ સરેવરમાં સ્નાન કરે છે-ન્હાય છે. (૧) પછી શુદ્ધ સ્વરૂપમાં આ સતે પિતાની અનંત શક્તિને સંભારે છે–સંભાળે છે અને મમતાને દૂર તજી દે છે. વળી આત્મારૂપ કનક (સુવર્ણ) ને લાગેલા પથ્થરના મેલરૂપ કર્મસમૂહને ભિન્ન કરી નાખવા માટે ગાનળને પ્રજવલિત કરે છે કે જેથી આત્માની ઉપરને કર્મમળ નાશ પામી જાય છે અળી જાય છે. (૨) - પછી એક સમયની સમશ્રેણિ માંને સિદ્ધસ્થાનમાં પહોંચી જાય છે. આ પ્રમાણે શુદ્ધ સ્વરૂપી આત્માના સ્વરૂપનું ગાન કરતા સતા ચિદાનંદમહારાજ કહે છે કે-જે પતે અલક્ષ રૂપવાળા થઈ અલક્ષને પિતામાં સમાવી દે છે તે એ રીતે અલક્ષના મર્મને પામે છે. અલક્ષને જાણવાને એજ ઉપાય જાય છે. (૩) . સાર–આત્માનું સ્વરૂપ વિચારતાં તે ખરેખરી રીતે અલક્ષ જણાય છે. તેનું વાસ્તવિક પૂર્ણ સ્વરૂપ જે અલક્ષ અવસ્થાને પામે છે તે સમજી શકે છે, બીજા પામી શકતા નથી. જીવ અલક્ષપણાને શી રીતે પામે? તેને માટે સંક્ષિપ્ત વર્ણન આ પદમાં આપેલું છે, તેને વિસ્તાર એટલે કરવા ધારે તેટલે થઈ શકે તેમ છે. છતાં ટુંકું સ્વરૂપ એવું સરસ રીતે બતાવ્યું છે કે જેથી આપણે કર્તાના વિશિષ્ટ જ્ઞાનને પીછાણી શકીએ છીએ.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy