________________
( ૭૩ )
એવા મનુષ્ય વિચારે કે−હુ–મારા આત્મા અવિનાશી છે અને આ જગતના સભાવ અવશ્ય વિનાશી—વિનાશ પામનારા છે. આવી ધારણા ગુરૂગમથી ધારીને-સમજીને તે અનુભવના માર્ગને પામે છે–અનુભવજ્ઞાની થાય છે. ૨.
"
વળી ‘હું ને મારૂં ” આ માહનિત ( મેહરાજાનો ) જગતને વશ કરવાના મહામંત્ર છે, એવી બુદ્ધિ જેની પ્રકાશિત થાય છે તે મનુષ્ય પરિણામે નિઃસંગ થઈ, મેહરાજાના મસ્તક પર પગ દઈને અવશ્ય મેાક્ષનગરમાં જાય છે. ૩.
આવી વાત સાંભળીને સુમતા બહુજ સુખી-મન દિત થઈ અને કુમતા ઉદાસ થઈ. ચિદાનંદજી કહે છે કે-આવી રીતે કર્માંના પાસને તાડીને જીવ પરમાનંદને (મેાક્ષને) પામે છે, જ
સાર જે મનુષ્યના હૃદયમાં ખરેખરી જ્ઞાનકળા–પ્રગટે છે તે જરૂર સંસારના પદાર્થો તેમજ સબધાને અંગે ઉદાસી અની જાય છે તેના પર તેને રાગ આવતા નથી. એ પેાતાના સહજ સ્વરૂપને જોઈ શકે છે, પેાતાને અવિનાશી જાણે છે અને ગુરૂગમથી અનુભવજ્ઞાન પણ મેળવે છે, એટલે સ્વપરની સાચી ઓળખાણ થાય છે. તેથી સ્વને અવલખી, પરને તજી મેહરાજાના માથાપર પગ દઇ અર્થાત સથા માહનિય ક્રના વિનાશ કરી મેાક્ષદિરમાં સિધાવે છે. આત્માની આવી સ્થિતિ જાણી સુમતા ષિત થાય અને કુમતા દુઃખી થાય એ સ્વાભાવિક છે. આત્મા પણ કુમતાની દરકાર ન કરતાં ક્રમના પાસ ત્રોડવામાં પેાતાના વીના ઉપયાગ કરે છે અને પરિણામે વાંચ્છિત અવિનાશી સુખને મેળવે છે.