SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫) સાવધાનતા રાખે છે, તેમજ મેરૂ પર્વત સમી પવિત્રતાનેનિશ્ચળતાને સદાય આદરે છે. (૪) વળી– જેમ પંકજનામધારી ફળ જળ ને કાદવથી ન્યારું રહે છે, તેનાથી લેવાતું નથી, તેમ જે સંત-સુસાધુ જને વિષયભેરાથી નિલેપ રહે છે, વિષયલાલસાથી ખરડાતા નથી, વિષયવાસનાને હરાવી-દૂર કરી, રત્નત્રયીનું અખંડ આરાધન કરે છે, તેવા સ્વરૂપ–રમણી મહાત્મા પરમાત્મપદને પામી શકે છે. (૫) સારબોધ-અરૂં સાધુપણું કેવું હોવું જોઈએ અને તેનું ચથા પાલન કરવામાં કેવી પાત્રતા ને સાવધાનતા હોવી જોઈએ ? તેનું ચિત્ર ઉપલા પદમાં આપીને આજકાલ સાધુ માર્ગમાં વ્યાપી રહેલી શિથિલતા અથવા પ્રમાદાચરણને દૂર કરવા આત્માથી સજજનેનું લય ખેંચવામાં આવ્યું છે. જો કે પૂર્વ પુરૂષની હોડ કરે એવું વિશુદ્ધ ચારિત્ર અપ્રમત્તભાવે પાળનાર અત્યારે કઈ ભાગ્યે જ મળે તેમ છે, પરંતુ એવી શુદ્ધ ભાવના દીલમાં ધારી રાખીને તદનુસાર યથાશક્તિ સંયમને ખપ કરવામાં આવે છે તેથી સ્વપને સારા લાભ થવા સંભવ રહે છે. કેમકે ઉપદેશમાળાદિકમાં શુદ્ધ સંવિઝપણું (સાધુપણું) જે પળી ન શકે તે સાધુપણાને દંભ (ાટે ડાળ-ડિમાક) તજી નિરંભનિષ્કપટપણે સરલતાથી સાધુલિંગ(વેષ)ને મૂકી, યથાયોગ્ય સ્થળે, ગૃહસ્થગ્ય વતનિયમોનું સારી રીતે પાલન કરવાના ખપી થવાનું અથવા એ લિંગ-વેષ તજી નજ શકાય તે રાખીને પણ પિતાને છતા દેવને ગોપવવા નબળે પ્રયત્ન નહી કરતાં, શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરવા સાથે શુદ્ધ સંવિજ્ઞ
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy