________________
૨૩૯૮
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ - -: શ્રી જિનેશ્વર દેવના શાસનમાં સતીધર્મની કેટલી અને કેવી મહત્તા છે તે ઉપર શ્રીમતી રૂપસુંદરીના વિચારો દર્શાવતું દષ્ટાંત :
સુમાતાની મને દશા - શ્રીમતી મયણાસુંદરીની માતા શ્રીમતી રૂપસુંદરી કે જે શ્રી જિનેશ્વર દેવના ધર્મના - સુવાસિત અંતઃકરણવાળી છે. તેણી પોતાની પુત્રીના દુઃખથી (જ્યારે મયણાસુંદરીને રાજા પ્રજાપાળ કઢીયા સાથે પરણાવી દીધી તે દુઃખથી રાજા સાથે (પિતાના પતિ સાથે રોષ કરીને શેક સાથે પોતાને બંધુ પુણ્યપાળના મંદિરે (ઘરે) રહે છે. ધીમે ધીમે શ્રીમતી રૂપસુંદરી શ્રી જિનેશ્વર દેવે કહેલાં વચનથી શકને વિસરી ગઈ છે. કોઈ એક દિવસે જે સમયે શ્રીમતી મયણાસુંદરી પોતાના પતિની સાથે જે જિનમંદિરમાં ભાવપૂજા કરી રહી છે, તે સમયે તેણી શ્રી જિનમંદિરમાં આવી.
શ્રી જિનમંદિરમાં આવેલી તેણીએ દેવવંદન કરવામાં રક્ત, ચતુર અને પ્રત્યક્ષ સુકુમારના જેવા નિરૂપમરૂપવાળા કુમારને છે અને તે કુમારની પાસેના ભાગમાં રહેલી તે સ્ત્રીને પણ તેણીએ જઈ. એ જોઈને, શ્રીમતી રૂપસુંદર ચિત્તમાં વિચારે છે કે- “મારી પુત્રીના જેવી આ નાની વહુ કોણ છે?” આ પ્રમાણે વિચાર કરતી તેણીએ ખાસ ઉપયોગ પૂર્વક જોયું, તો તેણીએ તે નાની વહુ જેવી જણાતી યુવતીને શ્રીમતી મયણાસુંદરી તરીકે ઓળખી લીધી. અને તેણીના હદયમાં નિશ્ચય થઈ ગયે કે– “નક્કી, સતીના માર્ગને