SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સòાધ યાને ધર્માનું સ્વરૂપ જ્ઞાની મહાત્માએ કહ્યું : · મિથિલા નગરીના રાજા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે ઝાડ નીચે શિશુને જોયા.. તેને લઇ જઇને પોતાની રાણીને પોતાના પુત્ર તરીકે સાંપ્યા અને એ પાળક ત્યાં ઉછરી રહ્યો છે. તે ભવિષ્યમાં એ જ નગરીના રાજા થશે.’ ૩૯૨ ત્યારે મદનરેખાએ વિદ્યાધરને કહ્યું : હે ખાંધવ! મને મારા પુત્ર પાસે નગરીમાં લઈ ચાલ. ત્યાં હું મારા પુત્રનું મોંઢુ જોઈ ને કોઈ પણ સાધ્વી પાસે ચારિત્ર લઇ લઇશ.' એટલે વિદ્યાધરે મદનરેખાને એ નગરીના ઉપાશ્રય આંગળી મુકીને કહ્યુ કે, હું વ્હેન ! હવે તને જેમ ચેાગ્ય લાગે તેમ કરજે, હું જાઉં છું.. મનરેખાએ કહ્યું. હું વીરા ! તારૂ કલ્યાણ થાએ. મદનરેખાએ ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ પાસે આવીને વંદના કરી, ગુરૂણી પાસે બેઠી અને રડતા હૃદયે પેાતાની આપવિતી કહી સંભળાવી. એ સાંભળીને ગુરૂઆણીએ મદનરેખાને કહ્યું કે હું શ્રાવિકા આ સ`સાર એવા જ છે. અને તેમાં આપણા ગતભવના કર્મે સુખ-દુઃખ થાય છે. આ કારણે મહાપુરુષોએ પણ સસારનો ત્યાગ કરીને ચારિત માર્ગ અપનાવ્યા છે. એ રીતે ધર્મના ઉપદેશ આપીને સ'સારની અસારતા સમજાવી. એ સાંભળીને મનરેખાને સસાર ઉપરથી વૈરાગ્ય થતાં હવે પાતાના પુત્રનું મોંઢુ જોવાનું મન રહ્યું નહી. એટલે ગુરૂઆણીને કહ્યું કે મને અપનાવી લ્યેા. એટલે ચારિત્ર આપીને મને તમારી સાથે લઇ લો. જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. એટલે
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy