SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૮૨ બેધ યાને ધર્મનું સ્વરૂપ કર્તવ્યને અને તમને પિતાને ભૂલે નહી એ દઢ અભ્યાસ જ તમારું ખરેખર હિત કે રક્ષણ કરનાર છે. જગદ્ બધુ એવા ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ ખુદ ચાર જ્ઞાનના સ્વામી તદ્ભવ મુક્તિગામી શ્રી ગૌતમ સ્વામીજી જેવા ગણધરને પણ એક સમયે પણ પ્રમાદ નહિ. કરવાને ઉપદેશ આવ્યા હતા. આ ઉપદેશ હૃદય પટ પર કતરી રાખવું જોઈએ અને પ્રતિસમય એના અમલને માટે ઉઘત બન્યા રહેવું જોઈએ. સઘળાય પ્રાણીઓને ચિર કાળે કરીને પણ મનુષ્યભવ મળ એ ખરેખર દુષ્કર છે. અને કર્મના વિપાક ગાઢ ભયંકર છે. આવી વસ્તુનું સૂચન કરવા પૂર્વક ભગવાને એક સમય પણ પ્રમાદ નહિ કરવાનું શ્રી ગૌતમસ્વામીજી મહારાજને ફરમાવ્યું હતું. આ ઉપદેશનું રહસ્ય સમજાઈ જાય તો જ પ્રમાદ દ્વારા આ દુર્લભ માનવજીવનને જે રીતે નિષ્ફળ અને નુકશાનકારક બનાવે છે તે જરૂર ન બનાવે. દિવસના ચોવીસ કલાકમાં કયારે આપણને આત્મા યાદ આવે છે? અનન્ત ઉપકારી મહાપુરૂષે ફરમાવે છે કે જ્યાં સુધી જીવને હું જીવ છું” અગર તો હું આત્મા છું” એવું ભાન થાય નહી, ત્યાં સુધી આત્માની ઉન્નતિને લગતી ગમે તેટલી વાતો કહેવામાં આવે અગર તેને સાંભળવામાં આવે તો પણ તે પિતાની સાચી ઉન્નતિ સાધવાને માટે • ઉત્સાહિત બની શક્તો નથી; આપણને-શરીર જે ત્યાદલું
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy