SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ સધ યાને ધર્મનું સ્વરૂપ કરવા લાગ્યા અને અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. એ ભાવનાને જેરે તેઓ અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થયો. જેમ ધાણી શકાય અને ફટાફટ ફુટે તેમ ગજસુકુમાળની ખોપરી કુટવા લાગી, જતાં તેઓ ધ્યાનમાં સ્થિર રહ્યા. (કેટી કેટી વંદન એ આત્માને) કેવી અનુપમ સમતા ! અજોડ ક્ષમા ! શત્ર ઉપર પણ સમભાવ ! હત્યા કરનાર ઉપર પણ દયા! કેવી અમીવૃષ્ટિ ! કેવી સમદષ્ટિ ! આમા જ્યારે શત્રમય ઉપર સમભાવ કેળવે છે. સમદષ્ટિ બને છે ત્યારે પરમાત્મપદની નજીક પહોંચી જાય છે. એ જ ઉંચી દશાએ શ્રી ગજસુકુમાળ મુનિ પહોંચ્યા. એટલે ચાર ઘાતી કર્મોને ક્ષય થયે. અને કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતી ચાર કર્મો પણ બળીને ખાખ થયાં. અને તેઓ અંત-કૃત કેવલી બની શાશ્વત ધામે (મેક્ષમાં) સિંધાવ્યા. જ્યા નથી કોઈ જાતની પીડા એવા અનંત-અવિનાશી શાનધામમાં સદાને માટે તેમને વાસ થયો. બીજા દિવસની સવારે શ્રીકૃષ્ણવાસુદેવ પિતાના પરિવાર સાથે ભગવાન નેમનાથના દર્શને ગયા. ત્યાં ન મુનિવરેને ભાવથી વાંધા. પણ ગજસુકુમાળ મુનિ દેવામાં ન આવ્યા, ત્યારે કૃષ્ણજીએ પ્રભુને પૂછ્યું: ભગવદ્ ! ગસુકુમાળ મુનિ કયાં છે ?” ભગવાને જવાબમાં જણાવ્યું. એ એમનું કાર્ય સાધી ગયા.” કૃષ્ણજીએ પૂછ્યું-શી રીતે!” એટલે સઘળીય બીના ભગવાને જણાવી. એ હકીકત સાંભળી કૃષ્ણજી વગેરેને ખૂબ દુ:ખ થયું. કૃષ્ણજી રડતા
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy