________________
૩૪૨
સાધ યાને ધર્માંનું સ્વરૂપ
આ દુઃખમાંથી મુક્ત કરવા માટે અનેક જાતની બાધાઆખડીયેા રાખતી હતી. આમ છતાં તે મને આ દુઃખમાંથી છેડાવી શકી નહીં. હે રાજન્ ! એજ મારી અનાયતા !”
એક માતાના ઉદરથી જન્મેલા અને સાથે સ્નેહમાં ઉછરેલા એવા ભાઈ એ પેાતાના કામધંધા છોડી મારી પાસે બેસતા. મારા હાથપગ દબાવતા અને મને દુઃખી જોઈ ને દુઃખી થતા. છતાં તેઓ મને દુઃખમાંથી છોડાવી શકયા નહીં. હે રાજન્ ! એજ મારી અનાથતા !',
· બહેનો, પત્ની, મિત્રો વગેરે મારી આ હાલત જોઇ ભારે દુઃખ અનુભવતા અને વિવિધ ઉપાયે કરવાને તત્પર રહેતા, પણ તેમાંનુ કોઇ મને દુઃખમાંથી છેડાવી શક્યુ અનાર્થતા !’
નહી. હું રાજન્! એજ મારી
આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અસહાયતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખ નિવારણનાં સાધના માનતા હતા, તે ખરેખર ! એવા ન હતાં. ધન, માલ, રિદ્ધિ, સિદ્ધિ, કુટુબ કબીલા, સ્વજનમહાજન કોઇપણ મારી મદદે આવી શકયુ નહી. મને દુઃખ મુક્ત કરી શકયું નહીં. એટલે દુઃખ નિવારણના સાધનો અન્ય કોઇ હાવાં જોઈએ, એ વાતની મને પ્રતીતિ થઇ. અને તેજ વખતે નીચેના શ્લાક યાદ આવ્યો :
• કરોડો યુગ ચાલ્યા જાય તે પણ કરેલાં કર્માના નાશ થતા નથી. *