SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સદધ યાને ધર્મનું સ્વરૂપ નહી મલે. આમ ઈચ્છા અને અનિચ્છાને લીધે જ આવેલા સુખ અને દુઃખમાં કમે કરીને માન અને સંતાપ ઉત્પન્ન થવાથી નવા કર્મોને બંધ થવાને જ. ઈચ્છાને રેકી એ ધર્મ છે. (તપ છે) અને ઈચ્છાને પિષવી એ અધર્મ છે (પાપ છે). * તપ એટલે ઇરછાનો નિરોધ – અનાદિકાળથી જીવને ખાવાની લત લાગેલી છે. તપદ્વારા એ ખાવાની લતને નિરોધ કરવાનો છે. જે તપ કરવાથી આપણું ખાવાની લાલસાઓ ઘટી જતી હોય અને વધારે વધારે તપ કરવાની ઈચ્છા થતી હોય તેજ તપનું સાચું ફળ પામ્યા એમ કહેવાય. અરિહંત પરમાત્માએ બતાવેલા સમ્યફ ના ફળ રૂપે તે અવશ્ય ખાવાની લાલસાએ ઘટે જ છે. વ. માન કાળે પર્યુષણ પર્વના દિવસોમાં તાં ઘણું જ થાય છે. તેમાં એકંદરે લાભ છે પણ એ તપ સમજણપૂર્વકનું થતું હોય તે બહુ લાભ થશે. પર્યુષણ પર્વમાં તપ કરનાર કેટલાક ભાગ્યશાળીઓ તપના પારણ પછી રાત્રિભેજનને પણ ત્યાગ કરતાં નથી. કે જે રાત્રિભોજન નરકનું પહેલું કાર કહેવાય છે. - રાત્રિભોજનને નિષેધ છે. કારણ રાત્રે સુક્ષ્મ જીવજંતુ પણ ખાવામાં આવી જાય છે. રાત્રે ભેજન ન કરવું જોઈએ એમ આયુર્વેદ પણ કહે છે કે, શરીરમાં બે કમળ છે એક હૃદયકમળ અને બીજું નાભિકમળ. સૂર્યાસ્ત થઈ ગયાં પછી આ બન્ને કમળ સંકેચાઈ જાય છે. એટલે રાત્રે ભેજનને નિષેધ છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy