________________
ખંડ : ૨ જો
૩૦૩
છે માટે દીક્ષાની ઉતાવળ ન કરે એવી આકાશમાંથી દિવ્યવાણી થાય છે. છતાં નદિષેણ મનને દઢ કરીને ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરે છે. અને ભગવંતે પણ ભાવિ અન્યથા ન થાય એમ જાણીને દીક્ષા આપી. નદિપેણ એ સમયે એટલા બધા ઉત્સાહમાં હતાં કે ખુદ ભગવાને તેમના ભગાવલી કર્મ અંગે ઉલ્લેખ કર્યો છતાં ભાવનાથી ચલિત થયા નથી.
દીક્ષા આપીને ભગવાન નદિષેણ મુનિને સ્થવિર ભગવતેને સાપે છે. નદિષણ મુનિ જ્ઞાન, અને ધ્યાનની સાધનામાં એટલા બધા નિમગ્ન બને છે કે થોડાક જ સમયમાં દસ પૂર્વના અભ્યાસી બની જાય છે. તપમાં પણ ઉત્કૃષ્ટપણે વીર્ય ફેરવે છે. ઉર્દૂ-અડ્ડમાદિ અતિ દુષ્કર તપના પ્રભાવે તેઓ અનેક લબ્ધિઓથી સંપન્ન બને છે. તપના પ્રભાવે જ લબ્ધિઓ પ્રગટે છે. તપના પ્રભાવે લબ્ધિઓ પ્રગટે પણ પ્રગટેલી લબ્ધિઓ જીરવાવી જોઈએ. જીવનમાં પચાવવું એ સહેલી વાત નથી. આજે તેવા કેઈ લબ્ધિસંપન્ન દેખાતાં નથી. પણ આ કાળને જીવમાં જીવવાની એ કયાં તાકાત છે? પૂર્વકાળના પુરૂષ તે મેરુ સમ ધીર અને સાગર સમ ગંભીર હતાં. શાસન રક્ષાના કાર્યમાં જ તેઓ શક્તિ ફેરવનારા હતાં. -: કર્મસત્તા દઢ નિરધારને નિરાધાર બનાવી દે -
આ બાજુ તપના પ્રભાવથી નંદિ મુનિને અનેક લબ્ધિઓ તે પ્રગટ થઈ પણ બીજી બાજુ ભેગાવલી કર્મના