SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સધ યાને ધર્મનું સ્વરૂપ કેટલું લાંછન ભર્યું છે. મનુષ્ય જે પિતાનું મનુષ્યપણું સાચવવા ઈચ્છતા હોય તે એણે હિંસાથી બચવું જોઈએ. માનવને જે શાન્તિ તથા સુખનાં સ્વમાં જોઈતા હશે તો તેણે મન, વચન અને કાયાથી અહિંસક બન્યા સિવાય છૂટકે નથી. ખરેખર હિંસા એ કાળકૂટ ઝેર છે. હિંસક ભાવ તે ખૂબ જ કાતિલ જીવલેણ વિષ છે. હિંસાનાં પાપ કરતાં પણ હિંસકભાવ મહાન શાપ છે. પાપની અનંત પરંપરાને વધારનાર હિંસકભાવ છે. હિંસા નહિ કરવા છતાં કેવળ હિંસકભાવથી પ્રેરાઈ ને તંદુલિયે મય - સાતમી નરકમાં જાય છે. તે જ રીતે જીવદયા-કરાને ભાવ સર્વે જીવો પ્રત્યેને આત્મિયભાવ એ જ અમૃત છે. એક અનંત મરણોની યાતને આપે છે અને એક અનંત મરણેની યાતનામાંથી ઉગારી આત્માને અનંત જીવન આપે છે. ' હિંસા દુઃખની વેલડી. હિંસા દુઃખની ખાણ અનંતા જ નરકે ગયા, હિંસા તણું પરિણામ, દયા સુખની વેલડી, દયા તે મુખની ખાણ અનંતા છવો સ્વર્ગે ગયાં, દયા તણું પરિણામ જૈને કે જેતેતર ગમે તે આત્મા દયાને કારણે ઘણા કર્મથી બચી શકે છે. એક જૈનેતરને દાખલ –( ) પરચુર શાસ્ત્રીને પ્રસંગ ખૂબ જ વેધક તેમજ મર્મ પશ રીતે અહીં આલેખ્યો છે. પોતાનાં રક્તપિત્તના રોગને માટે સપની ભસ્મ વાપરવાને તેને પ્રયોગ કરવાની જ્યાં તેમને
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy