SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જે २४७ સુખને રાજમાર્ગ મલી જાય છે. માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તત્વજ્ઞાનને અભ્યાસ કરી અને ક્રિયામાં મુકવા તૈયાર થઈ જાઓ એટલે બેડ પાર, અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માએ મોક્ષ માર્ગની આપણું યાત્રા સફળ બને એ કલ્યાણકર હેતુપૂર્વક નવતના ઉપદેશદ્વારા દિવ્યપ્રકાશ પાથર્યો છે. આત્માની સાચી મૂડી જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કુટિલ કએ એના ઉપર કબજો જમાવી આપણને ભિક્ષુક જેવી દયાપાત્ર દશામાં ચાર ગતિરૂપ સંસારમાં રખડતા કરી મૂકયા છે. આ દુનિયામાં મોટા ભાગના માનવે એમ માને છે કે અમુક રકમ આપણા હાથમાં આવી જાય તે સુખી થઈ જવાય. સુખી થવા માટે કેટલાક વકીલ, ડેકટર, અને ઇન્જનીઅર બને છે, તે કેટલાક મેટા મેટા સરકારી હા મેળવવા માટે દિનરાત પ્રયત્ન કરે છે. એરકંડીશન બંગલા અને દેખાવડી મેટરમાં મહાલીને કેટલાક સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. તેમ છતાં સાચા સુખને અંશ પણ અનુભવ કઈને થતા નથી. તેની સચોટ સાક્ષી આજની દુનિયાની હવા પુરી પાડે છે. સુખની મિથ્યા શેધને અંતે દુઃખ, હાયેય, થકાવટ, અને વૃદ્ધાવસ્થા બાદ લાચારીથી મૃત્યુને આધીન થવું પડે છે. તૃષ્ણ જલથી છીપે, મૃગજળથી નહીં. સાચું સુખરત્ન મનની ભાવપૂર્વકની આરાધનેથી મળે. વિરાધનાથી નહિં. સુખની ખેવનામાં ખોવાઈ જઈને સુખ આપવાની શક્તિ જેનામાં છે નહિ. તે પદાર્થોની પૂજા કરવી, પ્રશંસા કરવી તે બધી મિથ્યા છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy