SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સબેઘ યાને ધર્મનું સ્વરૂપ મોંઘા ધરમના મૂલ છે, સાચા ઝવેરી પારખે, બેટા હીરા છે સેંકડે, પણ કેહીનુર તે એક બે કકે ન જાણે ધર્મને, દાવે છતાં તેને કરે એવા ભારત દેશમાં, આજે જુએ ઘણુ ફરે. કેટલાક ઠેકાણે શાસ્ત્રને (શ) પણ જાણતા ન હોવા છતાં (સત્તા ને માનના ભુખ્યા) સંઘના સુકાની બની ક્ષેત્ર–કાળના નામે સંઘનું સંચાલન કરનારા ભાગ્યશાળીઓને સમજવા જેવું છે કે મૌન રહેવું હજાર દરજજે સારૂ પણ શાસ્ત્ર વિરુદ્ધ એક અક્ષર પણ બેલવે તે ખતરનાક છે. જૈન શાસ્ત્રકારો સંસારના કીચડના કેઈ ખદબદતા કીડાઓ ન હતાં પણ મહાન ત્યાગીપુરૂષ હતાં. સ્વાથી ન હતાં, લેભી ન હતાં પણ નિસ્પૃહ હતાં. પક્ષપાતી ન હતાં પણ યથાર્થવાદી હતાં અને ભવાભિનંદી ન હતાં પણ આત્માનંદી હોઈ પાપભીરુ હતાં. તેમના માટે કઈ શંકા કરાય જ કેમ? કરવી એ મહા પાપ છે આજ્ઞામાં ધર્મ છે. પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે. પૂજ્ય આનંદઘનજી મહારાજ તે એકદમ સાચા અધ્યાત્મ યેગી હતા. તે કોઈ સામાન્ય પુરૂષ ન હતાં. તેમના એક એક શબ્દ ગ્રહણ કરવાથી આપણું અજ્ઞાનપણું ( મિથ્યાત્વ) નીકળી જાય તેમ છે. પૂ. ગીશ્વર આનંદઘનજ મહારાજે કહ્યું છે કે – પાપ નહિ કે ઉસૂત્ર ભાષણજિ. ધર્મ નહિ કઈ જિન સૂત્ર સરીખે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy