SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સદ્ગુાધ યાને ધર્માનું સ્વરૂપ. વાદી જના ધર્મમાં જ માનતા નથી છતાં પણ નાસ્તિકવાદી ગાભદ્રને પહેલું તો એ કહે છે કે મૂઢ ! આ નદીમાં પડવાથી પ્રિયને સમાગમ થઈ જાય છે. અથવા તે વ્યાધિ આના વિગમ થઇ જાય છે. અથવા તે પાપના નાશ થઈ જાય છે આવુ' વળી તને કોણે કહ્યુ' ? ઘણા મિથ્યાદષ્ટિ એવું માને છે કે ગંગાનદીમાં સ્નાન કરવાથી પાપી છૂટી જાય છે. ગમે તેવા પાપ કર્યાં હોય, પણ ગંગા નદીમાં ન્હાયા એટલે ખલાસ ! બધા પાપો ધોવાઇ જાય છે. વળી કેટલાક મિથ્યાદષ્ટિએ એવુ માને છે કે ગગાનદીમાં નાહી લેવાથી વ્યાધિએ નાબૂદ થઇ જાય છે, જ્યારે કેટલાક એવું માને છે કે મૃત્યુ પામેલા આપણા પ્રિયજનને જે આપણે મળવુ હાય, તેની પાસે જવું હોય તે! આપણે આ ગગા નદીમાં પડતું મૂકવુ. આવી આવી માન્યતાઓને લઇને ગંગાનદીમાં સ્નાન કરવા માટે કોણ આવે ! માટે ભાગે તે પાપી અથવા રંગી અથવા પ્રિયના વિરહને સહવાને અસમર્થ બનેલા. આપણામાંના તા કોઈ જ આવી તદ્દન અજ્ઞાનપૂર્ણ માન્યતા નહિ ધરાવતા હોય. એટલે આ વિષયમાં વધુ કાંઈ કહેવાની જરૂર નથી. નાસ્તિકવાદીએ ગાભદ્રને કહે છે. આ નદીમાં જન્મીને માછલીઓએ કર્યુ. ઇચ્છિત પ્રાપ્ત કર્યુ? માટે તું વિષાદને મૂકી દે. મરણના અભિલાષને તજી દે અને તારે જે કરણીય. છે તે તું કર, તે જેવા કહ્યો તેવા માણસ તેા યમના માઢામાં પેઠો થકો મરે નહિ. હવે જો કદાચ માણસ મર્યાં હોય તે તેનું મુડદું પાણી ઉપર પોતાની મેળે જ આવી જાય ! પણ મુડદુ પાણી ઉપર આવ્યું નથી એટલે નક્કી થાય છે કે—એ માં તા નથી.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy